ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. 24 ફેબ્રુ.એ નાણામંત્રી બજેટ રજુ કરશે


  • Published By :
  • Published Date : 2023-01-24 15:29:34

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બજેટ સત્રની માહિતી આપતા કહ્યું કે, 25 દિવસ ચાલનારા આ સત્ર દરમિયાન 24 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે, જ્યારે બજેટ પર ચર્ચા અને મતદાન માટે 16 બેઠકો યોજાશે. સરકારી કામકાજ માટે પાંચ બેઠકો મળશે. બજેટ સત્રમાં રોજ પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી રહેશે.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરશે સંબોધન


વિધાનસભાના આ બજેટ સત્રના પ્રારંભે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત  વિધાનસભા ગૃહને સંબોધન કરશે. ત્યાર બાદવિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.આ બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે.


નાણા મંત્રી કનુ દેસાઇ બજેટ રજૂ કરશે 


રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ 15મી વિધાનસભાનું પહેલું બજેટ રજૂ કરશે. આગામી 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં નાણાંપ્રધાન તરીકે ફરીથી કનુભાઈ દેસાઈએ જવાબદારી સંભાળી છે. કનુભાઈ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલની પહેલી નાણાપ્રધાન તરીકે નાણાકીય વર્ષ 2022-23 નું બજેટ રજૂ કર્યું હતું. તેઓ આ વખતે હવે ફરીથી એટલે કે બીજી વખત  બજેટ રજૂ કરશે. કનુભાઈ દેસાઇ 15મી વિધાનસભાનું પહેલું બજેટ રજૂ કરશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.