રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા લાંચિયા અધિકારીઓ આવ્યા ACBના સકંજામાં, કેટલા થયા ફરાર? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 14:35:25

રાજયના લગભગ તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી ઓફિસોમાં લાંચ આપ્યા વિના સામાન્ય માણસનું કોઈ કામ થતું નથી. ACBના તમામ પ્રયત્નો છતાં રાજ્યમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય સરકારે આજે વિધાનસભામાં આવેલી જાણકારી દ્વારા પણ આ સત્ય સામે આવ્યું છે. 


ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યો સવાલ


રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે સરકારને ભ્રષ્ટ અધિકારીઓ સામે કરાયેલી કાર્યવાહી અંગે સવાલ પુછ્યો હતો. તેમણે પ્રશ્ન પુછ્યો કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યની એસીબી દ્વારા વર્ગ 1,2,3ના અધિકારીઓ સામે કેલા ગુના નોધવામાં આવ્યા હતા. ગુના આધારે આરોપીઓની કુલ સંખ્યા કેટલી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં ACB દ્વારા કેટલાં ગુનેગારો હજુ પકડાયા નથી તે અંગે પણ પેટા પ્રશ્ન કર્યો હતો.


સરકારે આપ્યો આ જવાબ


ધારાસભ્ય ચિરાગ પટેલના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે સરકારી કચેરીમાં ફરજ બજાવતા વર્ષ 1 થી માંડિને વર્ષ 4 સુધીના કર્મચારી અને અધિકારીઓ સામે લાંચ રુશ્વત વિભાગની કામગીરી અંગેની જાણકારી આપી હતી.સરકારે જણાવ્યુ હતું કે, વર્ષ 2021માં 173 ગુનાઓ નોધવામાં આવ્યા જેમાં કુલ 287 આરોપી સામે ગુનો નોધવામાં આવ્યો હતો. વર્ષ 2022માં 176 ગુનાઓ નોધવામાં આવ્યા જેમાં કુલ 254 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો. બે વર્ષમાં ACB દ્વારા 31 આરોપીઓને પકડવાના બાકી છે. ACB દ્વારા બે વર્ષમાં વર્ગ-1 ના 17 અને વર્ગ-2ના 58 વર્ગ-3ના 259 કર્મચારીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ગ 4ના 14 અને 192 વચેટિયા સામે ગુનો નોધવામાં આવ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.