બ્રેકિંગ ન્યૂઝ! ગુજરાતના વહીવટીતંત્રમાં ભારેખમ ફેરફાર, રાજ્યના 109 જેટલા IAS અધિકારીઓની બદલી, જાણો કયા અધિકારીઓની બદલી અને બઢતી થઈ


  • Published By :
  • Published Date : 2023-03-31 19:45:32

ગુજરાતના વહીવટી તંત્રમાં ભારેખમ ફેરફાર કરવામાં આવી રહયા છે. આજે ગુજરાત રાજ્યના IAS 109 જેટલા અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને આજે સરકારે સત્તાવાર મહોર લગાવી છે. રાજ્યમાં 109 જેટલા IAS અધિકારીઓની બદલી બાદ હજુ પણ હજુ વધુ બદલીઓ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. 


આ IAS અધિકારીઓને મળી નવી જવાબદારી


મુકેશ પુરી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા

મુકેશ પૂરી નર્મદા સરોવર વિભાગના એમડી તરીકે રહેશે કાર્યરત

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી

સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા

એ.કે.રાકેશ ACS કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇકમલ દયાણી વહીવટી વિભાગનો વધારાનો ચાર્જ સંભાળશે

એસ જે હૈદરને ઉદ્યોગો અને માઈંસ વિભાગના અધિક મુખ્ય સચિવ

અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા

અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે.

રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી

પ્રભોવ જોશી રાજકોટનાનવા કલેક્ટર બન્યા 

વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર

રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ






આ અધિકારીઓની થઈ બદલી


ગુજરાતમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે. જ્યારે એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓની પ્રમોશન આપવામાં આવ્યું છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.