આમ આદમી પાર્ટી પૈસાના જોરે ટિકિટ આપે છે: AAP નેતા સાકીર શેખ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 12:50:46

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની ટિકિટો મેળવવા માટે નાના-મોટા નેતાઓ અને કાર્યકરો પડાપડી કરી રહ્યા છે. જો કોઈ ટિકિટવાચ્છુ કાર્યકરને ટિકિટ ન મળે ત્યારે આરોપ લગાવતા હોય છે.  આમ આદમી પાર્ટીમાં પણ અસંતોષ બહાર આવવા લાગ્યો છે. આપના એક નેતાએ પાર્ટી પર પૈસાના જોર પર વિધાનસભાની ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો છે. 



AAP નેતા સાકીર શેખનો વીડિયો વાયરલ


આપના નેતા અને વેજલપુર વિધાનસભા બેઠકના દાવેદાર સાકીર શેખનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોના માધ્યમથી સાકિરે પાર્ટીની ટિકિટ વહેંચણી પર સવાલો કર્યા છે. તેમણે આમ આદમી પાર્ટીમાં પૈસાને જોરે ટિકિટો અપાતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન જ આપની ટિકિટ વહેચણી પર સવાલો ઉભા થયા છે. સાકીર શેખે આમ આદમી પાર્ટીને આડકતરી રીતે ચેતવણી આપતા કહ્યું છે કે, વેજલપુર બેઠક પર ઉમેદવાર કલ્પેશ પટેલને પૈસાના જોરે  ટિકિટ આપવામા આવી હોવાનો આરોપ લગાવતા તે અંગે ફેરવિચારણા કરવાની વાત કહી છે. તેમણે સારા ઉમેદવારને ટિકિટ આપવા પર ભાર મુકતા કલ્પેશ પટેલને આયાતી ઉમેદવાર ગણાવ્યા છે. જો કે આમ આદમી પાર્ટી ઉમેદવાર અંગે આખ આડા કાન કરી રહી છે. સાકિર શેખએ તેમના પદ પરથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી છે.


આમ આદમી પાર્ટીએ આરોપ ફગાવ્યો


આપના નેતા સાકીર શેખના સનસનીખેજ આરોપ અંગે જ્યારે આપ પ્રવક્તાને પુછવામાં આવ્યું  તો તેમણે પૈસાના જોર પર ટિકિટ આપવાના આરોપ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે પાર્ટીમાં તમામ  નેતાને વિધાનસભાની ટિકિટ આપવી શક્ય નથી. ટિકિટ ન મળે એટલે પાર્ટીની છબી ખરાબ કરવા આ પ્રકારના આરોપ લગાવવા તે દુર્ભાગ્યપૂર્ણ છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યાં છે. જો કે ક્યાંયથી પણ અસંતોષનો અવાજ સાંભળવા મળ્યો નથી. તેમણે આ પ્રકારના આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.