આમ આદમી પાર્ટી પૈસાના જોરે ટિકિટ આપે છે: AAP નેતા સાકીર શેખ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 12:50:46

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની ટિકિટો મેળવવા માટે નાના-મોટા નેતાઓ અને કાર્યકરો પડાપડી કરી રહ્યા છે. જો કોઈ ટિકિટવાચ્છુ કાર્યકરને ટિકિટ ન મળે ત્યારે આરોપ લગાવતા હોય છે.  આમ આદમી પાર્ટીમાં પણ અસંતોષ બહાર આવવા લાગ્યો છે. આપના એક નેતાએ પાર્ટી પર પૈસાના જોર પર વિધાનસભાની ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો છે. 



AAP નેતા સાકીર શેખનો વીડિયો વાયરલ


આપના નેતા અને વેજલપુર વિધાનસભા બેઠકના દાવેદાર સાકીર શેખનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોના માધ્યમથી સાકિરે પાર્ટીની ટિકિટ વહેંચણી પર સવાલો કર્યા છે. તેમણે આમ આદમી પાર્ટીમાં પૈસાને જોરે ટિકિટો અપાતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન જ આપની ટિકિટ વહેચણી પર સવાલો ઉભા થયા છે. સાકીર શેખે આમ આદમી પાર્ટીને આડકતરી રીતે ચેતવણી આપતા કહ્યું છે કે, વેજલપુર બેઠક પર ઉમેદવાર કલ્પેશ પટેલને પૈસાના જોરે  ટિકિટ આપવામા આવી હોવાનો આરોપ લગાવતા તે અંગે ફેરવિચારણા કરવાની વાત કહી છે. તેમણે સારા ઉમેદવારને ટિકિટ આપવા પર ભાર મુકતા કલ્પેશ પટેલને આયાતી ઉમેદવાર ગણાવ્યા છે. જો કે આમ આદમી પાર્ટી ઉમેદવાર અંગે આખ આડા કાન કરી રહી છે. સાકિર શેખએ તેમના પદ પરથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી છે.


આમ આદમી પાર્ટીએ આરોપ ફગાવ્યો


આપના નેતા સાકીર શેખના સનસનીખેજ આરોપ અંગે જ્યારે આપ પ્રવક્તાને પુછવામાં આવ્યું  તો તેમણે પૈસાના જોર પર ટિકિટ આપવાના આરોપ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે પાર્ટીમાં તમામ  નેતાને વિધાનસભાની ટિકિટ આપવી શક્ય નથી. ટિકિટ ન મળે એટલે પાર્ટીની છબી ખરાબ કરવા આ પ્રકારના આરોપ લગાવવા તે દુર્ભાગ્યપૂર્ણ છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યાં છે. જો કે ક્યાંયથી પણ અસંતોષનો અવાજ સાંભળવા મળ્યો નથી. તેમણે આ પ્રકારના આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.