Gujarat : રાજ્યમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2023-12-27 10:04:55

રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીને કારણે રસ્તાઓ પર ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. મંગળવારે નલિયાનું તાપામાન 10 ડિગ્રીથી નીચે ગગડી ગયું હતું તે ઉપરાંત અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું, 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed


મંગળવારે ક્યાં કેટલી પડી ઠંડી? 

એવું લાગતું હતું કે આ વર્ષે સખત ઠંડી પડી શકે છે. ગુલાબી નહીં પરંતુ હાડ થીજવતી ઠંડી કોને કહેવાય તેનો અનુભવ ગુજરાતીઓને થશે. પરંતુ વાતાવરણમાં એવા ફેરફાર આવ્યા કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો. પરંતુ ધીરે ધીરે ઠંડીનો અનુભવ થવા લાગ્યો. ડિસેમ્બરના અંત સુધીમાં અનેક વિસ્તારોનું તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું છે. નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું છે. નલિયા ઠંડોગાર પ્રદેશ સાબિત થાય છે. મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 15.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 14.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે.     

 હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ-છ દિવસ દરમિયાન મોટાભાગે વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. આગામી એક દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે 

તે ઉપરાંત વલસાડનું તાપમાન 17.8 ડિગ્રી, ભુજનું તાપમાન 14.6, નલિયાનું તાપમાન 09.0 ડિગ્રી નોંધાયું છે. દ્વારકાનું તાપમાન 17.6 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 18.9 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 14.4 ડિગ્રીએ પહોંચ્યું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ એક દિવસ બાદ એક-બે ડિગ્રી વધી શકે છે. ઠંડીનો વધુ અનુભવ થઇ રહ્યો નથી, તે અંગે તેમણે જણાવ્યું કે, હાલ ખૂબ જ ઓછા પવન ફૂંકાઇ રહ્યા છે. જ્યારે મહત્તમ તાપમાન 25-26 આવી રહ્યું હતું 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.