આધારકાર્ડના આધારે આચરવામાં આવ્યું કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ, જીએસટી વિભાગે કૌભાંડનો કર્યા પર્દાફાશ


  • Published By :
  • Published Date : 2023-02-16 17:00:07

બોગસ બિલિંગ કરી કૌભાંડ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ જીએસટી વિભાગે પોલીસ સાથે મળીને બોગસ બિલિંગ આચરનારાઓ વિરૂદ્ધ અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ, રાજકોટમાં આવેલી 100થી વધુ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આધારકાર્ડ સાથે લીંક કરાયેલા મોબાઈલ નંબરને બદલી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું.આધારકાર્ડના મોબાઈલ નંબરમાં સુધારો કરી જીએસટીના રજિસ્ટ્રેશન કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.     


બિલિંગ કૌભાંડ આવ્યું સામે 

જીએસટી વિભાગને માહિતી મળી હતી કે સમગ્ર ગુજરાતમાં 100થી વધારે પેઢીઓમાં બિલિંગ કૌભાંડ થઈ રહ્યું છે. જે અંતર્ગત અનેક રાજ્યોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ પેઢીઓમાં તપાસ દરમિયાન 4000 કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેકશન મળી આવ્યા હતા. મોટાભાગના નવી મોડસ ઓપરેન્ડી મુજબ કૌભાંડ આચરવામાં આવ્યાં છે. 


કૌભાંડનો થયો પર્દાફાશ 

એસજીએસટી વિભાગની ટીમે અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી કરી હતી. જેમાં એક ચોકાવનારો ખુલ્લાસો થયો છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલીને બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી અને આ કૌભાંડ આચરવામાં આવતો હતો. આધાર કાર્ડ સેન્ટર પરથી આધાર કાર્ડમાં નંબર અપડેટ થતા રહેતા જેથી કરીને માહિતી કૌભાંડીઓ પાસે આવતી. સુરતમાં 75 જેટલી શકમંદ પેઢીઓમાં જીએસટી વિભાગે તપાસ કરી હતી અને 61 પેઢીઓમાં બોગસ બિલિંગ થયાનું સામે આવ્યું. તપાસ દરમિયાન જીએસટી વિભાગને જાણવા મળ્યું હતુંકે એપીકે ફાઈલથી એન્ડ્રોઈડ એપ દ્વારા આધારકાર્ડ, પાનકાર્ડ જેવા નકલી દસ્તાવેજો બનાવવામાં આવતા હતા. આ તપાસ દરમિયાન 4 હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!