GSEB Result : ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધારે પરિણામ નોંધાયું જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું!


  • Published By :
  • Published Date : 2023-05-25 16:57:53

ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું છે. માર્ચ 2023માં યોજાયેલ ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. પોતાનું પરિણામ વિદ્યાર્થીઓ www.gseb.org પર જોઈ શકે છે અથવા તો વોટ્સએપ નંબર 6357300971 પર ચેક કરી શકે છે. સુરત જિલ્લો સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે જ્યારે દાહોદ જિલ્લો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 9.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. આ વર્ષ પણ વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને પાછળ પાડી દીધા છે. પરિણામને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.  સીએમે શુભેચ્છા પાઠવતા કહ્યું કે તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામના પાઠવું છું. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. તે સિવાય શિક્ષણમંત્રીએ પણ શુભેચ્છા પાઠવી છે.    


આ વિસ્તારનું પરિણામ આ વખતે પણ ઓછું નોંધાયું? 

માર્ચ 2023માં ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 64.62 ટકા પરિણામ આવ્યું છે. 76.45 ટકા પરિણામ સુરત જિલ્લાનું આવ્યું છે જ્યારે 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કુલ 958 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા આવ્યું છે. 157 શાળાઓ એવી છે જ્યાંનું પરિણામ 0 ટકા આવ્યું છે. જ્યારે 272 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે. આ વખતે પણ આદિવાસી વિસ્તારોનું પરિણામ ઓછું આવ્યું છે. મહત્વનું છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ પણ આ પટ્ટામાં ઓછું નોંધાયું હતું.   



કયા માધ્યમનું કેટલું આવ્યું પરિણામ? 

A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 6111 છે જ્યારે A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 44480 છે જ્યારે B1 ગ્રેડ મેળવનાર 86611 વિદ્યાર્થીઓ છે. B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 127652 છે, C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 139248 છે, C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 67373 છે, D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3412 છે. જો માધ્યમોની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમનું પરિણામ 62.11 ટકા આવ્યું છે, હિન્દી માધ્યમનું પરિણામ 64.66 ટકા, મરાઠી માધ્યમનું પરિણામ 7.95 ટકા જેટલું આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.90 ટકા આવ્યું છે. ઉર્દુ માધ્યમનું પરિણામ 69.10 ટકા આવ્યું છે.    




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!