GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી, આ તારીખે યોજાશે ધો.10 અને ધો.12ની પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-01-03 09:19:06

ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માાધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEBએ ધો.10 અને ધો.12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડી દીધું છે. ટાઈમ ટેબલ મુજબ માર્ચ મહિનામાં આ પરીક્ષા યોજાશે. શિક્ષણ મંત્રી કૂબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે.

  


શિક્ષણ મંત્રીએ આપી જાણકારી

માર્ચ મહિનામાં બોર્ડની પરક્ષા યોજાવાની છે જે અંતર્ગત ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી રહેશે જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી રહેશે.વિજ્ઞાન પ્રવાહની એક્ઝામ 14 માર્ચથી 25 માર્ચ સુધી ચાલશે.


  


CBSE દ્વારા પણ તારીખો જાહેર કરાઈ 

ઉપરાંત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુરૂવારે બોર્ડના પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. તે મુજબ સીબીએસસી બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઉપરાંત દરેક એક્ઝામ વચ્ચે તૈયારી માટે પૂરતો સમય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.