સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણ ફેરવાઈ હત્યામાં! જમીનને લઈ શરૂ થયેલી બબાલમાં થયા બે લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-13 12:24:17

જમીનની બાબતોને લઈ અનેક વખત ડખા થતાં હોય છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જમીનની બબાલને લઈ બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને આ ઘટનામાં 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. આ ઘટના ચૂડાના સમઢિયાળા ગામની છે જ્યાં બે જ્ઞાતિ વચ્ચે બબાલ થઈ છે. ઘટનામાં બે સગા ભાઈની હત્યા થઈ છે. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. તલવાર, ધારિયા સહિતના હથિયારીઓ વડે હુમલો થયો હતો. જૂથ અથડામણ થયા હોવાની ઘટના રાતની છે.     


તલવારો તેમજ ધારિયા વડે કરાયો હુમલો!

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂથ અથડામણ ક્યારે હિંસામાં ફેરવાઈ ગઈ તેની ખબર ન રહી. જમીન મુદ્દે બે જ્ઞાતિના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. તલવારો તેમજ ધારિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે સારવાર દરમિયાન બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં ખસેડી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિના મોત થયા છે તે અનુસુચિત જાતિના છે. મોટી સંખ્યામાં સમાજના લોકો હોસ્પિટલ આવી પહોંચ્યા છે. 


ઘટનામાં બે લોકોના થયા મોત 

જૂથ અથડામણને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. અનુસૂચિત સમાજથી આવતા લોકો પર હુમલાનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં અનુસૂચિત જાતિથી આવતા લોકો પર અત્યાર થતો હોય છે. આ ઘટનાને પગલે માહોલ અશાંત ન થાય તેને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. જે જૂથ અથડામણ થઈ છે તેમાં એક મહિલા સહિત પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બે લોકોના મોત થયા છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે લોકો આ ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે તેમના નામ છે આલજી પરમાર તેમજ મનોજ પરમાર. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે.   


ભાજપના ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો!

ઘટનાને પગલે સુરેન્દ્રનગરમાં અરેરાટી વ્યાપી ઉઠી છે. મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો છે. જ્યાં સુધી આરોપીઓ નહીં ઝડપાય ત્યારે સુધી તે મૃતદેહ નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી છે. મૃતકના પરિવારને મળવા જ્યારે ભાજપના ધારાસભ્ય પહોંચ્યા હતા ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર સિવીલ બહાર ભાજપના ધારાસભ્ય પી.કે.પરમાર અને જગદીશ દલવાડીને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ હાય હાયના નારા લાગ્યા હતા. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!