સિંગતેલના ભાવમાં કરાયો આટલા રુપિયાનો ભાવ વધારો, મોંઘવારી વધતા ખોરવાયું ગૃહિણીનું બજેટ


  • Published By :
  • Published Date : 2023-02-14 12:29:29

મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતું રહે છે ત્યારે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. રાજ્યમાં સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બામાં 50 રુપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. જેને કારણે 2800 રુપિયાને પાર સિંગતેલના ડબ્બાની કિંમત પહોંચી છે. 


50 રુપિયાનો કરાયો ભાવ વધારો 

દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. કોઈ વખત દૂધના ભાવ વધે છે તો કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે. ત્યારે આજે સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. માત્ર સિંગતેલના ભાવમાં ફેરફાર થયો છે. કપાસીયાના તેલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક જ દિવસમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. 


અન્ય કોઈ તેલના ભાવમાં નથી થયો વધારો 

આ વખતે મગફળીની બમ્પર આવક થઈ છે. મગફળીની બમ્પર આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબ્બાનો ભાવ 2820 પર પહોંચી ગયો છે. પરંતુ સિંગતેલ સિવાય અન્ય તેલોના ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો.              




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.