આનંદો! સિંગતેલના ભાવમાં આજે 20 રૂપિયાનો ઘટાડો, હજુ પણ ભાવ ઘટવાની શક્યતા, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-10-13 21:05:39

ગુજરાતની ગૃહિણી માટે સૌરાષ્ટ્રથી સારા સમાચાર આવ્યા છે કે હવે ગાઠિયા, ભજીયા, ફાફળા, જલેબી, સમોસા, ગોટા અને દાળવડા ખાવાનું હવે સસ્તુ થવાનું છે કારણ એ છે કે સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ સતત વધતા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 3000 હજારને પાર થયો હતો ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં આ સપ્તાહમાં ફરી એકવાર ઘટાડો થયો છે. બે દિવસ પહેલા સિંગતેલના ડબ્બાનો ભાવ રુપિયા 2930 હતો જેમાં ફરી એકવાર રુપિયા 20નો ઘટાડો થતા નવો સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રુપિયા 2910 થયો છે. 


શા માટે ઘટ્યા ભાવ?


સૌરાષ્ટ્રના યાર્ડમાં નવી મગફળી ની આવકના પગલે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હજુ પણ મગફળીની યાર્ડમાં આવક ચાલુ છે ત્યારે આગામી સમયમાં પણ સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં થઈ રહેલા ઘટાડાથી લોકોને રાહત મળી છે. મગફળીના સારા ઉત્પાદનના કારણે સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં થોડા દિવસો બાદ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા મધ્યમ વર્ગને મોટી રાહત મળી છે, યાર્ડમાં હરાજીમાં મગફળીના 1035થી 1440 બોલાયા છે. ઓક્ટોબર મહિનો શરૂ થયો ત્યારે સિંગતેલનો ડબ્બો 3 હજાર રૂપિયાની આસપાસ મળતો હતો પણ હવે ભાવ ઘટી ગયા છે. 

Know how much the price of Peanuts oil and cottonseed oil has reduced? ખાદ્યતેલના ભાવ ઘટ્યા, જાણો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં કેટલો થયો ઘટાડો?

હજુ પણ ભાવ ઘટવાની શક્યતા?


સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં હરાજી થઈ ત્યારે મગફળીના મણના ભાવમાં 120 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈીકાલે મગફળીનો મણનો ભાવ 1460 રૂપિયા હતો અને આજે મગફળીનો મણનો ભાવ 1365 થઈ ગયો છે. આથી દશેરા સુધીમાં તેલમીલમાં સસ્તી મગફળીની આવક શરૂ થશે અને સિંગતેલના ભાવમાં ઘટાડો વધારે થઈ શકે એવી શક્યતા લાગી રહી છે. એટલે કે મહિના પછી દેશનો સૌથી મોટો તહેવાર દિવાળી આવવાનો છે તો ત્યારે મગફળીના ભાવ ઓછા જોવા મળવાના છે. એટલે મહિલાઓ આ વાતને ખાસ ધ્યાને લે કે વધતા જતા અને ખોરવાતા બજેટમાં થોડી શાંતિ મળવાની છે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?