સિંગતેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો, ડબ્બાની કિંમત 3100ને પાર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-08 20:06:38

દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, જીવન જરૂરિયાતની લગભગ તમામ ચીજોના ભાવમાં તોંતિગ વધારો થયો છે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો અને ખાદ્યતેલના ભાવમાં કમર તોડ વધારો થયો છે. સામાન્ય માણસ માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. 


સિંગતેલમાં 20 રૂપિયાનો વધારો


રાજ્યમાં તહેવારો પહેલા જ સિંગતેલની કિંમતમાં પ્રતિ ડબ્બે આજે  20 રૂપિયાનો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. આજે 20 રૂપિયાનો વધારો થતાંની સાથે જ ડબ્બાની કિંમત 3100ને પાર પહોંચી છે. આ સાથે જ કપાસિયા તેલનો ભાવ 1735 અને સરસવ તેલનો ભાવ 1710 રૂપિયા થયો છે. ખાદ્યતેલના ડબ્બાનો ભાવના ભાવમાં ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.   તેલના ભાવ વધવાના કારણે ફરસાણ પણ મોંઘું બનશે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે, તેથી ઉપવાસ પણ મોંઘા બન્યા છે. 


છેલ્લા એક વર્ષથી સતત ભાવ વધ્યા


ગત નવા વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવો વધી રહ્યા છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો છે. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે, ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ વિખાયું છે. તહેવારોની સિઝન પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે, સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. તહેવારમાં સિંગતેલની ડિમાન્ડ વધારે રહે છે. મોટાભાગના ફરસાણ લોકો સિંગતેલમાં જ બનાવતા હોય છે. એવામાં સિંગતેલના ભડકે બળતા ભાવના કારણે અનેક લોકો કપાસિયા તેલ તરફ વળવા લાગ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.