સિંગતેલના ભાવમાં ફરી ભડકો, ડબ્બાના ભાવમાં રૂ.20નો વધારો, એક જ મહિનામાં રૂ.150 વધ્યાં


  • Published By :
  • Published Date : 2023-07-04 14:01:12

મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે સિંગતેલના સતત વધતા ભાવ ચિંતાનો વિષય બન્યો છે. તહેવારોની સીઝન નજીક છે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. આજે ફરી એક વખત સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2890 રૂપિયાએ પહોંચી ગયો છે. તેલનો ડબ્બો 2900 રૂપિયા થવામાં માત્ર 10 રૂપિયા ઓછા છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે ત્યારે સરકારના પેટનું પાણી પણ હલતું નથી તે અચરજકારક બાબત છે.


સિંગતેલના ડબ્બામાં એક જ મહિનામાં રૂ.150 વધ્યાં


અત્રે ઉલ્લેખનિય છે કે જૂનની શરૂઆતમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2720 હતો અને જુલાઈની શરૂઆતમાં આ જ ડબ્બાનો ભાવ રૂ. 2870 નો થયો છે. આમ એક જ મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂ.150 થી વધુનો ભાવ વધારો થયો છે, તો આજે ફરી સિંગતેલ ના વધતા ડબ્બાની કિંમત રૂ.2890 એ પહોંચી ગઈ છે.


કપાસિયા તેલમાં રૂ.1730 થયા


આ ઉપરાંત કપાસિયા તેલનો ભાવ 1730 રૂપિયા થયો છે. જ્યારે પામોલીન તેલના ડબ્બાનો ભાવ 1465 રૂપિયા થયો છે. શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે તેલના ડબ્બાના ભાવમાં વધારો થવા લાગ્યો છે,  તેલના વધતા જતા ભાવને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.