સૌરાષ્ટ્રમાં જમાવટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ઘેડ પંથકમાં વરસાદે તબાહી બોલાવી, ખેતરોમાં ઘૂસ્યા પાણી, જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-27 14:59:15

ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. થોડા કલાકોની અંદર અનેક ઈંચ વરસાદ વરસી જાય છે જેને કારણે પાણી ભરાઈ જાય છે અને જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે.. વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

ઘેડ પંથકની વરસાદે પથારી ફેરવી!

વરસાદની આપણે સૌ પ્રતિક્ષા કરતા હોઈએ છીએ.. વરસાદ આવે અને ગરમીથી મુક્તિ મળે.. વરસાદ આવે છે ત્યારે મન પ્રસન્ન પણ થાય છે, પરંતુ અવિરત વરસાદ રહે ત્યારે! ગુજરાતના અનેક ભાગો એવા હતા જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં એટલો બધો વરસાદ વરસ્યો કે મેઘ મહેર મેઘ કહેરમાં ફેરવાઈ ગઈ.. સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે જમાવટની ટીમ ઘેડ પંથક પહોંચી હતી.. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે વિચારવા મજબૂર કરી દે કે જે ખેતરોમાં પાણી ભરાયા છે તે ખેડૂતોની સ્થિતિ શું થઈ હશે?



ખેતરોમાં ઘૂસ્યા પાણી!

વરસાદની અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય સામાન્ય માણસને તેની એટલી ગંભીર અસર નથી થતી જેટલી અસર જગતના તાતને તેની પડે છે. સારો વરસાદ ના આવે તો પણ ખેડૂતોને રડવાનો વારો આવે છે અને જો વધારે વરસાદ થાય તો પણ  ખેડૂતોને રડવાનો વારો આવે છે. સૌરાષ્ટ્રથી જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈ જગતના તાતની ચિંતા થવા લાગે..અનેક ખેતરો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.