સૌરાષ્ટ્રમાં જમાવટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ઘેડ પંથકમાં વરસાદે તબાહી બોલાવી, ખેતરોમાં ઘૂસ્યા પાણી, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-07-27 14:59:15

ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. થોડા કલાકોની અંદર અનેક ઈંચ વરસાદ વરસી જાય છે જેને કારણે પાણી ભરાઈ જાય છે અને જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે.. વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

ઘેડ પંથકની વરસાદે પથારી ફેરવી!

વરસાદની આપણે સૌ પ્રતિક્ષા કરતા હોઈએ છીએ.. વરસાદ આવે અને ગરમીથી મુક્તિ મળે.. વરસાદ આવે છે ત્યારે મન પ્રસન્ન પણ થાય છે, પરંતુ અવિરત વરસાદ રહે ત્યારે! ગુજરાતના અનેક ભાગો એવા હતા જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં એટલો બધો વરસાદ વરસ્યો કે મેઘ મહેર મેઘ કહેરમાં ફેરવાઈ ગઈ.. સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે જમાવટની ટીમ ઘેડ પંથક પહોંચી હતી.. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે વિચારવા મજબૂર કરી દે કે જે ખેતરોમાં પાણી ભરાયા છે તે ખેડૂતોની સ્થિતિ શું થઈ હશે?



ખેતરોમાં ઘૂસ્યા પાણી!

વરસાદની અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય સામાન્ય માણસને તેની એટલી ગંભીર અસર નથી થતી જેટલી અસર જગતના તાતને તેની પડે છે. સારો વરસાદ ના આવે તો પણ ખેડૂતોને રડવાનો વારો આવે છે અને જો વધારે વરસાદ થાય તો પણ  ખેડૂતોને રડવાનો વારો આવે છે. સૌરાષ્ટ્રથી જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈ જગતના તાતની ચિંતા થવા લાગે..અનેક ખેતરો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.