ઈઝરાયેલના જવાનો પર ગાઝામાં ગ્રેનેડ હુમલો, 21ના મોત, PM નેતન્યાહૂએ કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2024-01-23 15:48:25

ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે મધ્ય ગાઝામાં એક હુમલામાં તેના 24 જવાનના મોત થયા છે. હમાસ-ઈઝરાયેલ યુધ્ધ શરૂ થયા બાદનો ઈઝરાયેલને આ અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો છે. સેનાના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ મંગળવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સૈનિકો મધ્ય ગાઝામાં સોમવારે બે મકાનોને ધ્વસ્ત કરવા માટે વિસ્ફોટક લગાવવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે જ એક આતંકવાદીએ રોકેટ સંચાલિત ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેના કારણે વિસ્ફોટક ફાટ્યું અને ઈમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાં દટાઈ જવાથી 24 જવાનોના મોત નિપજ્યા હતા. 


PM નેતન્યાહૂએ કર્યું ટ્વીટ


ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ગાઝામાં સૌથી ઘાતક હુમલામાં 24 જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. જો કે તેમણે કહ્યું કે જ્યાં સુધી સંપુર્ણપણે  જીત ના મળે ત્યાં સુધી સેના ગાઝામાં લડતી રહેશે. એક્સ પર એક પોસ્ટમાં નેતન્યાહૂએ કહ્યું યુધ્ધની શરૂઆત બાદ સોમવારનો દિવસ સૌથી મુશ્કેલ દિવસ રહ્યો છે. તેમણે કહ્યું કે સેના આ હુમલાની તપાસ કરશે. 


ગાજામાંથી 20 લાખ લોકો વિસ્થાપિત


ઈઝરાયેલની સેના દ્વારા જમીન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગાઝામાં ઈઝરાયેલી સેના પર આ સૌથી ભયાનક હુમલો છે. જો કે ઈઝરાયેલના હુમલા બાદ ગાઝામાં 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. જ્યારે લગભગ 25 હજારથી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે. આ યુધ્ધ ક્યારે બંધ થશે તે અંગે કોઈ સ્પષ્ટપણે કહી શકે તેમ નહીં, ઈઝરાયેલના વડાપ્રધાન આંતરરાષ્ટ્રિય દબાણને પણ ફગાવી ચુક્યા છે.  



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?