ટ્રેનની અડફેટે દાદા અને બે પૌત્રીઓ ના મોત


  • Published By :
  • Published Date : 2023-10-06 12:53:47

બનાસકાંઠાના અમીરગઢમાં ટ્રેનની અડફેટે ત્રણનાં મોત થયાના સમાચાર મળ્યા છે અમીરગઢના કીડોતર ગામમાં દાદા અને બે માસૂમ પૌત્રીઓ ટ્રેનની અડફેટે આવી ગયા છે ટ્રેનની ટક્કરથી ત્રણેયના કરુણ મોત નીપજ્યા છે જેથી અરેરાટી મચી છે આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી

ટ્રેનનો પાટો ક્રોસ કરી રહ્યા હતા
અમીરગઢના કીડોતર ગામના એક વૃદ્ધ તેમની બે પૌત્રીઓ સાથે રેલના પાટાઓ ક્રોસ કરી રહ્યા હતા તે જ સમયે અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ત્રણેય લોકોના મોત થયા હતા અમીરગઢ પાસેથી પસાર થતી  અમદાવાદ દિલ્લી રેલવે લાઈન પર પરથી પસાર થતી ટ્રેનની અડફેટથી ત્રણેયના પ્રાણપંખેરું ઊડી ગયું હતું આ બનાવને પગલે રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પંચનામુ કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી વાહલી વારસદારોને મૃતદેહ સોંપ્યા હતા 
હસતા ખેલતા પરિવારમાં આ અકસ્માતથી પરિવારમાં આભ ફાટી પડ્યું હતું અને આખું ગામ હિબકે ચડ્યું હતું


21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.