રાજ્ય સરકાર શરૂ કરશે ટેકાના ભાવે અનાજની ખરીદી, આ તારીખથી શરૂ થશે નોંધણી પ્રક્રિયા


  • Published By :
  • Published Date : 2023-02-08 13:02:39

રાજ્યના ખેડુતો માટે સારા સમાચાર આવ્યા છે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્ય સરકાર ટેકાના ભાવે અનાજની ખરીદી શરૂ કરશે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી હતી. તેમણે ટેકાના ભાવને લઈ કહ્યું હતું કે, સરકાર ચણા, રાયડો, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહી છે. 


10 માર્ચથી શરૂ થશે ખરીદી


રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે, આગામી 10 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. સરકાર ચણા, રાયડો, તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે, આ માટે આગામી 28 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન થશે. 


VCEનો ખર્ચ સરકાર ભોગવશે


સમગ્ર રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રો પર VCE દ્વારા તા.28 ફેબ્રુઆરી- 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે VCEના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.