મહીસાગર જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાનમાં અનાજ કૌભાંડનો પર્દાફાશ, ચાર દુકાનદારો સામે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-12-17 16:33:05

પંચમહાલ બાદ હવે મહીસાગરમાં પણ વ્યાજબી ભાવના દુકાનદારો પર તવાઈ આવી છે. મહીસાગરમાં જિલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ વિતરણ કરવામાં આવતું હોવાની તથા કેટલાક દુકાનદારો દ્વારા ઓફલાઇન અનાજ વિતરણ કરાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે તપાસ કરતાં સમગ્ર જિલ્લામાં કેટલાક દુકાનદારોની ગેરરીતી પ્રકાશમાં આવી હતી. મહીસાગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકામા ચાર જેટલા દુકાનદારોનો પરવાના  મોકૂફ.કરવામાં આવ્યો છે.  મહીસાગર જિલ્લા પુરવઠા તંત્રની કડક કાર્યવાહીના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.


આ 4 દુકાનદારો સામે કાર્યવાહી


(1) લુણાવાડામાં ધી નગર પંચાયત કર્મચારી ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. શાખા-1 પર 60 દિવસનો પરવાનો મોકૂફ.. 


(2) બાલાસિનોર તાલુકામા કઢાયા ગામે એસ.એમ.વસાવા. નામની દુકાનનો 30 દિવસનો પરવાનો મોકૂફ..


(3)  ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામે કનૈયા લાલ પંડ્યાની દુકાનનો 60 દિવસ સુંધીનો પરવાનો મોકુફ..


(4) કડાણા તાલુકાના ખાત્વા ગામમાં ઇશાકભાઈ શેખ ગામનો પરવાનો 60 દિવસ મોકુફ


આ દુકાનદારો સામે કાર્યવાહી થશે?


મહીસાગર  જિલ્લામાં વાજબી ભાવની દુકાનોમાં થઈ રહેલી ગેરરીતિઓ અને સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવાની પેરવીના અનુસંધાને જિલ્લાપુરવઠા શાખા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે સ્થાનિક લોકોની માગ છે કે જવાબદારો સામે ખરેખર કાર્યવાહી થશે ખરી?. રાજ્યના અન્ય જીલ્લા મા દુકાનદારો પર પાશા હેઠળ ની કાર્યવાહી કરવામાં આવી છે તો મહીસાગર મા શું તંત્ર દ્વારા માત્ર દેખાવ કામગીરી કરવામાં આવી હોય તેવી અનેક વાયકા લોક મુખે ચર્ચાઈ રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.