GPSSBએ નિયમોમાં કર્યો ફેરફાર, તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું કરાયું ફરજિયાત


  • Published By :
  • Published Date : 2023-12-12 10:35:24

સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા નિયમો અનુસાર હવેથી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન જરૂરી છે. આ પહેલા 12 પાસ પર તલાટીની પરીક્ષા લેવાતી હતી. હવેથી આ પરીક્ષા ગ્રેજ્યુએશનના આધારે લેવાશે. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો અત્યાર સુધી 12 પાસ લોકોઆની પરીક્ષા આપી શક્તા હતા. આની પરીક્ષા GPSSB લે છે અને જે લોકોએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે એ જ હવે તલાટી બની શકશે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. 


શું છે તલાટી કમ મંત્રીની જવાબદારી? 

જો તલાટીની કામગીરીની વાત કરીએ તો ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની હોય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. નિયમમાં કરાયેલા ફેરફાર પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. આને લઈ યુવરાજસિંહે ટ્વિટ કરી છે. 



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.