GPSSBએ નિયમોમાં કર્યો ફેરફાર, તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું કરાયું ફરજિયાત


  • Published By :
  • Published Date : 2023-12-12 10:35:24

સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા નિયમો અનુસાર હવેથી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન જરૂરી છે. આ પહેલા 12 પાસ પર તલાટીની પરીક્ષા લેવાતી હતી. હવેથી આ પરીક્ષા ગ્રેજ્યુએશનના આધારે લેવાશે. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો અત્યાર સુધી 12 પાસ લોકોઆની પરીક્ષા આપી શક્તા હતા. આની પરીક્ષા GPSSB લે છે અને જે લોકોએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે એ જ હવે તલાટી બની શકશે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. 


શું છે તલાટી કમ મંત્રીની જવાબદારી? 

જો તલાટીની કામગીરીની વાત કરીએ તો ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની હોય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. નિયમમાં કરાયેલા ફેરફાર પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. આને લઈ યુવરાજસિંહે ટ્વિટ કરી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.