GPSC પ્રિલિમરી પરીક્ષા મામલે હાઈકોર્ટનો મોટો ચુકાદો, પરિણામ હવે થશે રિવાઈઝ, કેટલાક ઉમેદવારો મેઈન્સમાં બેસી શકશે


  • Published By :
  • Published Date : 2023-09-20 22:29:45

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષા આપનાર ઉમેદવારોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.  ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ હવે રિવાઈઝ કરવાનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ પરિણામને રિવાઈઝ કરવાની GPSCને ફરજ પડશે. GPSC દ્વારા ફાઈનલ આન્સર કી જાહેર કર્યા બાદ પરિણામ જાહેર કરવાનો પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટના આ ચુકાદાથી વધુ કેટલાક ઉમેદવારો મેઈન્સની પરીક્ષામાં બેસી શકશે.


ઉમેદવારોના હિતમાં મોટો ચુકાદો


હોઈકોર્ટનો આ ચુકાદાથી GPSC પરીક્ષા આપતા ઉમેદવારોને મોટો ફાયદો થશે. પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ રિવાઈઝ થવાથી વધુ ઉમેદવારો મેઈન્સ પરીક્ષામાં આપી શકશે. આ સમગ્ર બાબતની ઉમેદવારોની પણ લાંબા સમયથી માંગ હતી.  


ઉમેદવારોએ કરી હતી હાઈકોર્ટમાં અરજી


હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે નેગેટિવ માર્કિંગના કારણે ઉમેદવારોના ખોટી રીતે માર્ક કપાયા હતા. એટલું જ નહીં ફાઈનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો પણ દાવો કરાયો હતો. જે બાદ આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અરજદારોની પ્રાથમિક રજૂઆતોને સાંભળી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.