GPSCએ આ પોસ્ટ માટે ભરતીની કરી જાહેરાત, અરજી કરવાની આ છે છેલ્લી તારીખ, જાણો વિગતો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-23 12:50:09

ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીએ વર્ગ 2ની 88 જેટલી ભરતી બહાર પાડી છે.  ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ 2ની ભરતીની જાહેરાત કરી છે. ગ્રેજન્યુએટ અને પોસ્ટ ગ્રેજન્યુએટની ડિગ્રી ધરાવતા અભ્યાર્થીઓ 30 જૂન સુધીમાં અરજી કરી શકશે. આ પરીક્ષાની પ્રાથમિક કસોટીમાં 300 ગુણ અને રૂબરુ મુલાકાતના 100 ગુણ રહેશે. બંનેની વાત કરીએ તો પ્રાથમિક કસોટીના 50 ટકા અને રુબરુ મુલકાતના 50 ટકા કાઢીને જે ટકા આવે તે મુજબ ગુણના આધારે વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. ટૂંકમાં બંનેના ટકાના વેઈટેજ મુજબ પસંદગી થશે. 


આ ઉમેદવારોને નહીં બોલાવામાં આવે ઈન્ટરવ્યુ માટે 

પ્રાથમિક કસોટીની એટલે કે પ્રીલિમ્સની વાત કરીએ તો 100 ગુણ સામાન્ય અભ્યાસના રહેશે. બાકી 200 ગુણ જે તે વિષયની પરીક્ષા હશે તેના પૂછાશે. જે જૂની સિસ્ટમ છે તે પ્રમાણે જ રહેશે. પ્રાથમિક પરીક્ષામાંથી  જે ઉમેદવારને  25 ટકાથી ઓછા ગુણ આવશે તેને ઈન્ટરવ્યૂ માટે બોલાવામાં નહીં આવે. જેને પ્રિલીમ્સમાં 25 ટકાથી વધુ ગુણ હશે તેને રૂબરુ મુલાકાત માટે બોલાવામાં આવશે.


આ વિષયોનો છે સમાવેશ 

ભરતી માટે ડિગ્રીની લાયકાત, બાકીની તારીખો, પસંદગી પ્રક્રિયાની બાકીની વિગત વગેરે જીપીએસસીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. વિષયોની વાત કરીએ તો કાર્ડિયોલોજી પ્રોફેસર, આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર વર્ગ 2, ન્યૂરોલોજી પ્રોફેસર, વગેરે જેવી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ટૂંકમાં મેડિકલ અને એન્જિનિયર વિભાગની ભરતી છે. તો જેટલા પણ મિત્રો આ વિષયો માટે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે ફરી પુસ્તકો લઈને બેસી જજો. પરીક્ષા આવી ગઈ છે. જો હજુ પણ કોઈ મુંજવણ હોય તો ફરીથી કહું છું જીપીએસસીની વેબસાઈટ પર બધુ મૂકવામાં જ આવ્યું છે ત્યાંથી જોઈ શકાશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.