અરવલ્લીમાં સર્જાયો ગોઝારો અકસ્માત, દુર્ઘટનામાં થયા ત્રણ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-02-22 12:22:32

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. એક્સિડન્ટના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં લોકો મોતને ભેટતા અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે અકસ્માતનો વધુ એક કિસ્સો અરવલ્લીથી સામે આવ્યો છે. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ સભ્યોના જીવ જવાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.  

 અરવલ્લી: મોડાસા હિંમતનગર હાઈવે પર બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 મોડાસાના રસુલપુર પાસે થયેલા અકસ્માતમાં મૃતકોમાં માસી અને ભાણિયા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે.

પરિવારમાં વ્યાપી ઉઠી શોકની લાગણી  

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી છે. દરરોજ એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અનેક લોકોના મોત થતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ગોઝારા અકસ્માતની ઘટના મોડાસા હિંમતનગર હાઈવે પર બની છે. જ્યાં બુલેટ અને કાર વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના જીવ ગયા છે. જ્યારે એક બાળકની હાલત નાજૂક છે. અકસ્માતમાં માસી ભાણિયા સહિત ત્રણ લોકોના મોત થયા છે. એક સાથે પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર આઘાતમાં છે. પરિવારમાં માતમ છવાઈ ગયું છે. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

 આ ગોઝારો અકસ્માત સર્જેલી કાર સિલ્વર રંગની હતી. જેનો નંબર GJ 31R 2568 છે. 

 આ અકસ્માત બાદ આખા રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જોકે પોલીસની મદદથી આ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.


થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!