સરકારી શાળાનો પ્રિન્સિપાલ બન્યો શેતાન, ચોથા ધોરણમાં ભણતી બાળકીની કરી છેડતી


  • Published By :
  • Published Date : 2023-09-23 14:52:32

આમ તો શાળા સરસ્વતીનું ધામ કહેવાય છે અને આપણને પહેલાથી જ શિખવવામાં આવે છે કે, શિક્ષકને ભગવાનના સ્થાને મૂકવા જોઈએ પરંતુ અહી શાળાના એક પ્રિન્સિપાલે શિષ્ય અને ગુરુના સબંધો પર લાંછન લગાવ્યું છે

મહેસાણાના જિલ્લાના કડી તાલુકાના એક ગામમાં આવેલ સરકારી શાળામાં લંપટ પ્રિન્સિપાલની કરતૂત સામે આવી છે અહીંની શાળાના પ્રિન્સિપાલે જ ચોથા ધોરણમાં ભણતી બાળકીને શારીરિક અડપલાં કર્યા છે પ્રિન્સિપાલે છોકરીને વાંચન માટે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા 


વિદ્યાર્થિનીએ વાલીને જાણ કરી હતી

બાળકીને રાત્રીના સમયે પેટમાં દુખતા બાળકીને તેના માતા પિતાને જાણ કરી હતી જેને લઇ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારબાદ અખીય બાબતનો ખુલાસો થયો હતો અને પ્રિન્સિપાલની કરતૂત બાબતે બાળકીએ માતાપિતાને કહ્યું હતું...આ સમગ્ર બાબતે બાળકીના પિતાએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી 


પોલીસે આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરી

ચોથા ધોરણમાં ભણતી બાળકીને વાંચન કરવાના બહાને પટેલ અરવિંદ કુમાર નામના શિક્ષકે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા જે ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો જોકે આ બાબતે બાળકીના વાળી દ્વારા પોલીસ ફરિયાદ આપતા પોલીસે આરોપી પ્રિન્સિપલની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.