સરકારી શાળાનો પ્રિન્સિપાલ બન્યો શેતાન, ચોથા ધોરણમાં ભણતી બાળકીની કરી છેડતી


  • Published By :
  • Published Date : 2023-09-23 14:52:32

આમ તો શાળા સરસ્વતીનું ધામ કહેવાય છે અને આપણને પહેલાથી જ શિખવવામાં આવે છે કે, શિક્ષકને ભગવાનના સ્થાને મૂકવા જોઈએ પરંતુ અહી શાળાના એક પ્રિન્સિપાલે શિષ્ય અને ગુરુના સબંધો પર લાંછન લગાવ્યું છે

મહેસાણાના જિલ્લાના કડી તાલુકાના એક ગામમાં આવેલ સરકારી શાળામાં લંપટ પ્રિન્સિપાલની કરતૂત સામે આવી છે અહીંની શાળાના પ્રિન્સિપાલે જ ચોથા ધોરણમાં ભણતી બાળકીને શારીરિક અડપલાં કર્યા છે પ્રિન્સિપાલે છોકરીને વાંચન માટે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા 


વિદ્યાર્થિનીએ વાલીને જાણ કરી હતી

બાળકીને રાત્રીના સમયે પેટમાં દુખતા બાળકીને તેના માતા પિતાને જાણ કરી હતી જેને લઇ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારબાદ અખીય બાબતનો ખુલાસો થયો હતો અને પ્રિન્સિપાલની કરતૂત બાબતે બાળકીએ માતાપિતાને કહ્યું હતું...આ સમગ્ર બાબતે બાળકીના પિતાએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી 


પોલીસે આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરી

ચોથા ધોરણમાં ભણતી બાળકીને વાંચન કરવાના બહાને પટેલ અરવિંદ કુમાર નામના શિક્ષકે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા જે ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો જોકે આ બાબતે બાળકીના વાળી દ્વારા પોલીસ ફરિયાદ આપતા પોલીસે આરોપી પ્રિન્સિપલની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે



ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..

રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે પ્રહાર કર્યા હતા તે ઉપરાંત અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ તેમણે વાત કરી હતી. પીએમ મોદી જ્યારે આ અંગે વાત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ દ્વારા મણિપુરને ન્યાય આપો તેવા નારા લગાવવામાં આવ્યા.ત્યારે આજે પીએમ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર વક્તવ્ય આપ્યું છે .