સરકારે સુધારી આ વિભાગના કર્મચારીઓની Diwali, કર્મચારીઓના ભથ્થામાં કર્યો આટલો વધારો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-11 15:30:14

દિવાળી વખતે કર્મચારીઓને ભેટ મળતી હોય છે. બોનસ મળતું હોય છે. ત્યારે ગુજરાત સરકારે પણ કર્મચારીઓની દિવાળી સુધારી છે. અનેક કર્મચારીઓના પગાર ભથ્થામાં સરકારે વધારો કર્યો છે. દિવાળી પહેલા જેલ ખાતાના કર્મચારીઓને ગુજરાત સરકારે ભેટ આપી છે. જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.  જેલ કર્મચારીના ભથ્થામાં 3500થી 5000 સુધીનો વધારો કર્યો છે. અનેક કર્મયોગીને સરકારે દિવાળી પહેલા ભેટ આપી છે અને ભેટને કારણે તિજોરી પર 13.22 કરોડનું ભારણ વધશે!

આ નિર્ણયથી સરકારની તિજોરી પર પડશે આટલા કરોડનું ભારણ

થોડા સમય પહેલા એસટી વિભાગના કર્મચારીઓના હીતમાં સરકારે નિર્ણય લીધો હતો. ફિક્સ-પે કર્મચારીઓના પગારમાં વધારો કરાયો હતો ત્યારે હવે દિવાળી પહેલા જેલ વિભાગમાં કામ કરતા કર્મચારીની દિવાળી સરકારે સુધારી છે. ગુજરાત સરકારે 13.22 કરોડનો વધારાનો ખર્ચ કરી જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતરના ભથ્થામાં 3500થી 5000 રુપિયાનો વધારો કરાયો કર્યો છે. તે ઉપરાંત ફિક્સ-પગારના જેલ સહાયકોને હવે 3500 રૂપિયા, સિપાઈને 4000 રુપિયા, હવલદારને 4500 રુપિયા જ્યારે સુબેદારને 5000 રૂપિયાનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થું ચૂકવવામા આવશે. 


અનેક વખત આ અંગે કરાઈ છે રજૂઆત 

તે ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓને જાહેર રજા વળતરમાં મળતા 150 રુપિયામાં વધારો કરીને રજા પેટે 665 રુપિયા ચૂકવવામાં આવશે. તે ઉપરાંત જેલ સિપાઈ હવલદાર સુબેદારને મળતા 25ના વોશિંગ એલાઉન્સમાં વધારો કરી 500 રુપિયા આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મહત્વનું છે કે આ અંગે અનેક વખત લેખિતમાં તેમજ મૌખિક રીતે રજૂઆત કરી હતી ત્યારે હવે તેમની વાતને સ્વીકારવામાં આવી છે.   



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.