આનંદો! GSRTCના ફિક્સ-પે કર્મીઓને સરકારે આપી દિવાળીની ભેટ, પગાર વધી જશે, આંદોલન સમેટાયું


  • Published By :
  • Published Date : 2023-11-07 15:34:21

ગુજરાતના એસટી નિગમના (GSRTC) કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને ધરણા-પ્રદર્શનો કરી રહ્યા હતા. એસટી નિગમના ત્રણેય માન્ય સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું  હતું. જો કે આજે ગુજરાત સરકાર અને એસટી નિગમ કર્મીઓના સંગઠનોના પ્રતિનિધીઓ વચ્ચે થયેલી બેઠકમાં સરકાર તરફથી મળેલી હૈયાધારણા બાદ ત્રણેય સંગઠનોને આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે અમુક માંગણીઓ પુર્ણ કરવાની હૈયા ધારણા આપી હતી પરંતુ એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તેઓ વિરોધ કરી રહ્યાં હતા જે બાદ એસટી નિગમના કર્મચારી મંડળે આ ફિક્સ પેના કર્મચારીઓને સાથે રાખીને સરકાર સાથે બેઠક કરી હતી.


પગાર વધીને 26 હજાર થઈ જશે


ST નિગમના કર્મચારી મંડળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી. આજે સવારે 11 થી 12 વાગ્યા સુધી એસટી નિગમના કર્મચારી મંડળે ફિક્સ પેના કર્મચારીઓને સાથે રાખીને સચિવાલય ખાતે બેઠક કરી હતી. આ બેઠકમાં આવતી 30 તારીખ સુધીમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી અમલવારી કરવામાં આવશે જેનાથી ફિક્સ પેના કર્મચારી જેનો હાલ 19 હજાર પગાર છે તે 25 થી 26 હજાર થઈ જશે. જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર થયો નથી પરંતુ આગામી સમયમાં તેની જાહેરાત થશે.


કર્મચારીઓએ માસ CLની આપી હતી ચીમકી


એસટી નિગમના ત્રણેય માન્ય સંગઠનો પોતાના પડતર પ્રશ્નોને લઈને રચનાત્મક વિરોધ પર ઉતરવાના હતા અને ગત તા. 3-11થી નિગમના કર્મચારીઓ માસ CL પર ઉતરી વિવિધ વિરોધ કાર્યક્રમો આપવાના હતા પરંતુ નિગમના કર્મચારી મંડળની સરકાર સાથેની બેઠક બાદ આ આંદોલન મોકૂફ રહ્યું હતું અને તે પછી નિગમના ફિક્સ પેના કર્મચારીઓ મેદાને ઉતર્યાં જેઓની આજે રજૂઆત સાંભળી છે અને સરકાર આ મામલે 30મી નવેમ્બર સુધીમાં નિર્ણય લેશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!