રાજ્ય હસ્તકના બોર્ડ અને નિગમના કર્મચારીઓને સરકારે આપી દિવાળી ગીફ્ટ, સાતમા પગારપંચ મુજબના ભથ્થાંનો મળશે લાભ


  • Published By :
  • Published Date : 2023-10-20 16:58:12

દિવાળીનો તહેવાર આવે એટલે કર્મચારીઓ બોનસની કાગડોળે રાહ જોતા હોય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે રાજ્યના વિવિધ સરકારી બોર્ડ અને નિગમોમાં કામ કરતા કર્મચારીઓ માટે ગૂડ ન્યૂઝ આવ્યા છે. રાજ્ય સરકારના નાણાં વિભાગે બોર્ડ અને નિગમ કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. નાણાં વિભાગે બોર્ડ અને નિગમ કર્મચારીઓને 7માં નાણાપંચના કેટલાક લાભોની અમલવારીની જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત મકાન ભાડા, ટ્રાવેલ એલાઉન્સ, સ્થાનિક વળતર ભથ્થા અને તબીબી ભથ્થા મળશે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમનાં કર્મચારીઓને લાભ મળશે. સરકારની આ જાહેરાત સાથે જ કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


શું લાભ મળશે?


કેન્દ્રીય સાતમાં પગારપંચનો રાજ્ય સરકારની મંજૂરીથી લાભ મેળવતા રાજ્ય સરકાર હસ્તકનાં જાહેર સાહસો-બોર્ડ નિગમોને ઘરભાડું, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થાનો લાભ આપવામાં આવેલ છે. રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબનાં ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ સુવિધાઓનો લાભ તેઓને શરતોનો આધીન આપવાનું ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું છે.  જેમ કે (1) રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં જાહેર સાહસો-બોર્ડ નિગમોને જેમને નાણાં વિભાગનાં પરામર્શમાં રાજ્ય સરકારની મંજૂરીથી સાતમાં પગારપંચનાં લાભ આપવામાં આવેલ છે. ત્યારે શરતોનો અમલ કરેલ હશે તેવા જાહેર સાહસો-બોર્ડ-નિગમોને આ શરતો લાગુ પડશે. (2) છઠ્ઠા પગારપંચ અન્વયે જે જાહેર સાહસોમાં ઘરભાડા ભથ્થા, સ્થાનિ વળતર ભથ્થા, તબીબી ભથ્થા તથા પરિવહન ભથ્થાનાં લાભ ગુજરાત મુલકી સેવા નિયમો 2022 ને આધીન આપવામાં આવતા હશે તેવા જાહેર સાહસોને આ ભથ્થા મળવાપાત્ર થશે. (3) ઠરાવની સૂચનાઓનો અમલ કરવા માટે જે તે બોર્ડ-નિગમો દ્વારા પોતાનાં કાર્યવાહક મંડળ, બોર્ડ ઓફ ડીરેક્ટર્સની બેઠકમાં જરૂરી ઠરાવ પસાર કરવાનો હેશે. તથા અમલવારીની જાણ નાણાં વિભાગને અચૂક કરવાની રહેશે.  


ખોટ કરતા નિગમનાં કર્મીઓને આ લાભ મળશે નહીં


રાજ્ય સરકારે દિવાળી પહેલા બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબનાં ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે. જેમાં ઘર ભાડું, મોંઘવારી ભથ્થું, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમાં પગાર પંચ મુજબનાં ભથ્થા કર્મચારીઓને મળશે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમનાં કર્મચારીઓને લાભ મળશે. તેમજ રાજ્ય સરકારના ખોટ કરતા નિગમનાં કર્મીઓને આ વધારાનો લાભ મળશે નહી તેમ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!