કેન્દ્રીય કર્મચારીને દિવાળી પહેલા સરકારની ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:49:34



કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેયર્સની બેઠકમાં આજે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં આજે ડીએમાં 4 ટકા વધારો કરવાના નિર્ણય પર મોહર લગાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી વચ્ચે કેટલાય દિવસોથી ડીએમાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા. ડીએમાં ચાર ટકા વધારો કરવાથી કેન્દ્રના કર્મચારીના પગારમાં વધારો થશે. 


શું હોય છે ડી.એ.?

ડીએ એટલે ડિયરનેસ એલાઉન્સ. સાદી રીતે સમજીએ તો મોંઘવારી આવતા પગારમાં વધારો કરવામાં આવે છે તેને ડીએ કહેવામાં આવે છે. મૂળ પગારમાં થોડા રૂપિયાનો વધારો કરી દેવામાં આવે છે. 


34થી 38 ટકા કરાયો ડીયરનેસ એલાઉન્સ 

કેન્દ્ર સરકારે વર્ષ 2022ના માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 3 ટકાનો વધારો કર્યો હતો ત્યાર બાદ આજે ફરીથી ચાર ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ડીએ 34 ટકા હતું. હવે ચાર ટકાનો વધારો કરાતા કેન્દ્ર સરકારના કર્મચારીનું હવે ડીએ 38 ટકા થઈ ગયું છે. 


કેટલા લોકોને મળશે લાભ?

કેન્દ્ર સરકારે ચાર ટકા ડીએ વધારો કરવાનો નિર્ણય લેતા કેન્દ્રના 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનર્સને ફાયદો મળશે. જો કેન્દ્રના કર્મચારીનો બેઝિક પગાર 18 હજાર રૂપિયા હોય તો 34 ટકા મુજબ તેમને મળતો ડીએ 6,120 રૂપિયા થાય, પરંતુ તેને 38 ટકા મુજબ લેવામાં આવે તો તે રૂપિયા વધીને 6,840 રૂપિયા થાય. 


મોંઘવારી જેવા સમયમાં પગારો વધારો થાય છે

સામાન્ય રીતે ડીયરનેસ એલાઉન્સ જેવી વસ્તુઓમાં વધારો બહુ ઓછો થતો જોવા મળે છે. પરંતુ કેન્દ્ર સરકાર સમયાંતરે જે વધારો કરી રહી છે તે મુજબથી લાગે છે કે મોંઘવારી ભારતમાં વધી રહી છે. કારણ કે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના પગાર વધારવાની ફરજ ત્યારે જ આવે છે જ્યારે તેમના કર્મચારીઓ મોંઘવારીનો માર જેલી રહ્યા હોય અને મોંઘવારી સમયે તેમનો પગાર ઘર ચલાવવા માટે પૂરતો ના પડતો હોય.  


 




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.