કેન્દ્રીય કર્મચારીને દિવાળી પહેલા સરકારની ભેટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 15:49:34



કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેયર્સની બેઠકમાં આજે મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં આજે ડીએમાં 4 ટકા વધારો કરવાના નિર્ણય પર મોહર લગાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી વચ્ચે કેટલાય દિવસોથી ડીએમાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા. ડીએમાં ચાર ટકા વધારો કરવાથી કેન્દ્રના કર્મચારીના પગારમાં વધારો થશે. 


શું હોય છે ડી.એ.?

ડીએ એટલે ડિયરનેસ એલાઉન્સ. સાદી રીતે સમજીએ તો મોંઘવારી આવતા પગારમાં વધારો કરવામાં આવે છે તેને ડીએ કહેવામાં આવે છે. મૂળ પગારમાં થોડા રૂપિયાનો વધારો કરી દેવામાં આવે છે. 


34થી 38 ટકા કરાયો ડીયરનેસ એલાઉન્સ 

કેન્દ્ર સરકારે વર્ષ 2022ના માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 3 ટકાનો વધારો કર્યો હતો ત્યાર બાદ આજે ફરીથી ચાર ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ડીએ 34 ટકા હતું. હવે ચાર ટકાનો વધારો કરાતા કેન્દ્ર સરકારના કર્મચારીનું હવે ડીએ 38 ટકા થઈ ગયું છે. 


કેટલા લોકોને મળશે લાભ?

કેન્દ્ર સરકારે ચાર ટકા ડીએ વધારો કરવાનો નિર્ણય લેતા કેન્દ્રના 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનર્સને ફાયદો મળશે. જો કેન્દ્રના કર્મચારીનો બેઝિક પગાર 18 હજાર રૂપિયા હોય તો 34 ટકા મુજબ તેમને મળતો ડીએ 6,120 રૂપિયા થાય, પરંતુ તેને 38 ટકા મુજબ લેવામાં આવે તો તે રૂપિયા વધીને 6,840 રૂપિયા થાય. 


મોંઘવારી જેવા સમયમાં પગારો વધારો થાય છે

સામાન્ય રીતે ડીયરનેસ એલાઉન્સ જેવી વસ્તુઓમાં વધારો બહુ ઓછો થતો જોવા મળે છે. પરંતુ કેન્દ્ર સરકાર સમયાંતરે જે વધારો કરી રહી છે તે મુજબથી લાગે છે કે મોંઘવારી ભારતમાં વધી રહી છે. કારણ કે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના પગાર વધારવાની ફરજ ત્યારે જ આવે છે જ્યારે તેમના કર્મચારીઓ મોંઘવારીનો માર જેલી રહ્યા હોય અને મોંઘવારી સમયે તેમનો પગાર ઘર ચલાવવા માટે પૂરતો ના પડતો હોય.  


 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે