કુસ્તીબાજોના 'દંગલ' બાદ સરકાર એક્શનમાં, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને કર્યું સસ્પેન્ડ, સંજય સિંહ ઘરભેગા


  • Published By :
  • Published Date : 2023-12-24 12:35:47

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને કેન્દ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધું છે. રમતગમત મંત્રાલયે WFIની આખી નવી ચૂંટાયેલી બોડીને સસ્પેન્ડ કરી દીધી છે. એટલું જ નહીં, સરકારે ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખના તમામ નિર્ણયો પર રોક લગાવી દીધી છે. સરકારે સંજય સિંહ માન્યતા રદ કરી દેતા હવે સંજય સિંહ WFIના અધ્યક્ષ રહેશે નહીં. તાજેતરમાં WFIની ચૂંટણી જીતેલા સંજય સિંહને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ માનવામાં આવે છે.



સંજય સિંહની પેનલે 15માંથી 13 પોસ્ટ જીતી હતી

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ઘણી બાકી રહેલી ચૂંટણીઓમાં ગુરુવારે સંજય સિંહ પ્રમુખ પદ પર આસાનીથી જીત નોંધાવવામાં સફળ રહ્યા હતા. તેમણે કોમનવેલ્થ ગેમ્સની ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા અનિતા શિયોરાનને હરાવી હતી. તેમની પેનલે 15માંથી 13 પોસ્ટ જીતી હતી. ચૂંટણી પરિણામોએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને નિરાશ થયા અને ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.


કુસ્તીબાજોએ નારાજગી વ્યક્ત કરી હતી


ખેલ મંત્રાલયે એવા સમયે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો નારાજ છે. કુસ્તીબાજ બ્રિજભૂષણ સિંહના નજીકના લોકો સંજય સિંહની જીતથી નારાજ છે અને સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બનવાના વિરોધમાં શુક્રવારે પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કરવાનો નિર્ણય લીધો હતો. આના એક દિવસ પહેલા સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.