ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 10:13:22

ઈલાબેને રાજીનામુ આપ્યા પછી ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે હવે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવશે. ટ્રસ્ટીમંડળની બેઠકમાં તેમના નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને રાજ્યપાલે પણ આ નિમંત્રણ સ્વીકારી લીધું છે. આગામી પદવીદાન સમારોહમાં તેઓ હોદ્દો સંભાળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો કે, ઈલાબેન હાજર રહેશે કે નહીં તેની પૃષ્ટિ નથી થઈ શકી.

gujarat vidyapith

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનવા જઈ રહ્યા છે. 18મી ઓક્ટોબરના રોજ સંસ્થામાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, અને ત્યારે જ નવા કુલપતિ પણ પદગ્રહણ કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મળેલી ટ્રસ્ટીમંડળની બેઠકમાં નવા કુલપતિ તરીકે રાજ્યપાલની નિમણૂકનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી ગુજરાત વિદ્યાપીઠના પ્રતિનિધિ મંડળ દ્વારા આચાર્ય દેવવ્રતને નિમંત્રણ મોકલવામાં આવ્યુ હતું જેનો તેમણે સ્વીકાર કર્યો છે.


18મી ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભ પછી આચાર્ય દેવવ્રત પદગ્રહણ કરીને નવા કુલપતિ તરીકેની સત્તા સંભાળી શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા સમયથી ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં વિવાદ અને ગેરરીતિઓના સમાચાર સામે આવી રહ્યા છે, તેવામાં આચાર્ય દેવવ્રતે પદ સંભાળીને તે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનું કામ હાથ ધરવું પડશે. તેમણે વિદ્યાપઠીને લગતા મહત્વના નિર્ણયો પણ લેવા પડી શકે છે.


ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ ઈલાબેને ઓક્ટોબર મહિનાની શરુઆતમાં જ રાજીનામું આપી દીધુ હતું. નવા કુલપતિની નિમણુક માટે ટ્રસ્ટીમંડળની બેઠક બોલાવવામાં આવી હતી અને આચાર્ય દેવવ્રતનું નામ આગળ કરવામાં આવ્યુ હતું. ટ્રસ્ટીમંડળના સભ્યો પૈકી 9 સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, પરંતુ બાકીના સભ્યોએ તેમના નામ માટે હામી ભરી હતી. મોટી સંખ્યામાં લોકોએ રાજ્યપાલના નામને ટેકો આપતા તેમને આમંત્રણ મોકલવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.