ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 10:13:22

ઈલાબેને રાજીનામુ આપ્યા પછી ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે હવે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવશે. ટ્રસ્ટીમંડળની બેઠકમાં તેમના નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને રાજ્યપાલે પણ આ નિમંત્રણ સ્વીકારી લીધું છે. આગામી પદવીદાન સમારોહમાં તેઓ હોદ્દો સંભાળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. જો કે, ઈલાબેન હાજર રહેશે કે નહીં તેની પૃષ્ટિ નથી થઈ શકી.

gujarat vidyapith

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનવા જઈ રહ્યા છે. 18મી ઓક્ટોબરના રોજ સંસ્થામાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, અને ત્યારે જ નવા કુલપતિ પણ પદગ્રહણ કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મળેલી ટ્રસ્ટીમંડળની બેઠકમાં નવા કુલપતિ તરીકે રાજ્યપાલની નિમણૂકનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી ગુજરાત વિદ્યાપીઠના પ્રતિનિધિ મંડળ દ્વારા આચાર્ય દેવવ્રતને નિમંત્રણ મોકલવામાં આવ્યુ હતું જેનો તેમણે સ્વીકાર કર્યો છે.


18મી ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભ પછી આચાર્ય દેવવ્રત પદગ્રહણ કરીને નવા કુલપતિ તરીકેની સત્તા સંભાળી શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા સમયથી ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં વિવાદ અને ગેરરીતિઓના સમાચાર સામે આવી રહ્યા છે, તેવામાં આચાર્ય દેવવ્રતે પદ સંભાળીને તે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનું કામ હાથ ધરવું પડશે. તેમણે વિદ્યાપઠીને લગતા મહત્વના નિર્ણયો પણ લેવા પડી શકે છે.


ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ ઈલાબેને ઓક્ટોબર મહિનાની શરુઆતમાં જ રાજીનામું આપી દીધુ હતું. નવા કુલપતિની નિમણુક માટે ટ્રસ્ટીમંડળની બેઠક બોલાવવામાં આવી હતી અને આચાર્ય દેવવ્રતનું નામ આગળ કરવામાં આવ્યુ હતું. ટ્રસ્ટીમંડળના સભ્યો પૈકી 9 સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, પરંતુ બાકીના સભ્યોએ તેમના નામ માટે હામી ભરી હતી. મોટી સંખ્યામાં લોકોએ રાજ્યપાલના નામને ટેકો આપતા તેમને આમંત્રણ મોકલવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.