સરકાર સહિષ્ણુતાનો ટેસ્ટ કરે છે ગુજરાતમાં? પાવાગઢમાં છોલેલા શ્રીફળને લઈ જવા તેમજ વધેરવા પર લગાવાયો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-03-14 11:52:46

ગુજરાતમાં સરકાર જાણે ભક્તોના ધીરજની કસોટી લઈ રહી હોય તેવા એક બાદ એક નિર્ણયો સામે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ચાલતો મોહનથાળ પ્રસાદનો વિવાદ હજી શાંત થયો નથી ત્યારે ગુજરાતના બીજા સુપ્રસિદ્ધ મંદિરના ટ્રસ્ટ દ્વારા શ્રીફળ પ્રસાદને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ પાવાગઢ મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નવો નિયમ 20 માર્ચથી લાગુ કરવામાં આવશે.   


પાવાગઢ મંદિરમાં નહીં વધેરાય શ્રીફળ

ગુજરાતના પંચમહાલમાં આવેલા પાવાગઢ મંદિરમાં હવે નાળિયેરના પ્રસાદને લઈ વિવાદ શરૂ થયો છે. પાવાગઢ મંદિરમાં નાળિયેર વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં  આવ્યો છે. માતાજીને માત્ર આખું શ્રીફળ જ અર્પણ કરવામાં આવશે અને આ શ્રીફળ ભક્ત પોતાના ઘરે પણ લઈ જઈ શકશે. ઉપરાંત પાવાગઢ મંદિરના રસ્તે જો કોઈ વેપારી છોલેલુ નાળિયેર વેચતા દેખાશે તો તેને દંડ કરવામાં આવશે. પાવાગઢ મંદિરના આ નિર્ણયને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.   


સ્વચ્છતા રહે તે માટે ટ્રસ્ટે લીધો નિર્ણય!

ભક્તોની લાગણીને ઠેસ પહોંચે તેવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. પહેલા શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો ત્યારે હવે પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળને લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સ્વચ્છતાનું કારણ બતાવી આ નિર્ણય ટ્ર્સ્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેવું ટ્રસ્ટનું કહેવું છે. જો કોઈ વેપારી છોલેલુ શ્રીફળ વહેચતા દેખાશે તો તેને દંડ કરવામાં આવશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.