ડુંગળીના ઘટતા ભાવ મુદ્દે ખેડૂતોને મોટી રાહત, કેન્દ્ર સરકારે શરૂ કરી ખરીદી


  • Published By :
  • Published Date : 2023-03-08 22:02:54

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ઘટતા જતા ભાવના કારણે ખેડૂતોને પારાવારા આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. દેશભરમાં ડુંગળીના પુષ્કળ ઉત્પાદનને પગલે આ પ્રકારનો ભાવ ઘટાડો નોંધાયો છે. જો કે હવે સરકાર આ મામલે સક્રિય બની છે, ડુંગળીના ઘટતા જતા ભાવ સામે ખેડુતોને રક્ષણ આપવા માટે સરકારે એજન્સીઓને ખેડૂતો પાસેથી ડુંગળીની ખરીદી કરવાનો આદેશ કર્યો છે.  


NAFED અને NCCFને સુચના અપાઈ


સરકાર દ્વારા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF)ને આદેશ કરી ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવા સૂચના આપી દીધી છે. આ મામલે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું કે છેલ્લા દસ દિવસની અંદર NAFED દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા 900 પ્રતિ 100 કિલોથી વધુના ભાવે લગભગ 4 000 ટન ડુંગળીની ખરીદી કરાઈ છે.


NAFEDએ શરૂ કરી ખરીદી


કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ નાફેડ  NAFEDએ દેશભરમાં લગભગ 40 કેન્દ્રો ખોલ્યા છે. આ કેન્દ્રો પર ખેડૂતો પોતાનો માલ વહેંચી શકે છે અને તેની ચુકવણી ઓનલાઇન કરવામાં આવશે. ત્યારબાદ સ્ટોકની દિલ્હી, કોલકત્તા, ગોવાહાટી, ભુવનેશ્વર,બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ અને કોચી ખાતે ખસેડવાની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.