ગુજરાતના સરકારી કર્મીઓને મળશે 8 ટકા મોંઘવારી ભથ્થું, રાજ્યના 5 લાખ કર્મચારીને થશે લાભ


  • Published By :
  • Published Date : 2023-05-18 17:33:25

રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે, નાણામંત્રી કનુ દેસાઈના જણાવ્યા પ્રમાણે છે કે મોંઘવારી ભથ્થું જાહેર કરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થવા  પર છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં લગભગ 5 લાખ કર્મચારીઓને 8% મોંઘવારી ભથ્થું ફાળવવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ગત વર્ષની જેમ જ આ મોંઘવારી ભથ્થું 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ ગુજરાત સરકારના લગભગ પાંચ લાખ કર્મચારીઓને ફાયદો થશે.


કર્મચારી મહામંડળે કરી આ માગ


ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મંત્રી ગોપાલ પંડ્યાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને નાણામંત્રીને કર્મચારીઓને જૂલાઈ 2022થી 34% મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું જેમાં 4% વધારો કરીને હવે 38% આપવામાં 2023માં આપવામાં આવતો હતો. જાન્યુઆરી 2023થી જે 38 ટકા આપવામાં આવે છે એમાં 4 ટકાનો વધારો કરી 42 ટકા કરી આપવામાં આવે.


કર્મચારીઓમાં ઉગ્ર અસંતોષ


અત્રે ઉલ્લેખનિય છે કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા જે ભથ્થું આપવામાં આવે છે એમાં રાજ્યના કર્મચારીઓને 10-10 મહિના સુધી રાહ જોવી પડે છે. ત્યારે રાજ્યના કર્મચારીઓમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી સાથે અસંતોષની લાગણી જોવા મળી છે. રાજ્ય સરકાર સત્વર કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે એવી કર્મચારીઓએ માગણી કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.