સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરતો હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, રાજ્ય સરકાર કરી શકે છે આ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-22 17:30:57

ગુજરાત હાઇકોર્ટે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને અસર કરતો ચુકાદો આજે આપ્યો છે. હાઇકોર્ટના ચુકાદા મુજબ સરકારી કર્મચારી કે અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થાય તે બાદ જો તેને કાનૂની કેસમાં સજા પડે તો સરકાર આવા કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરી શકે છે. ગંભીર ગુનામાં અદાલતે સજા કરી હોય તો પેન્શનરને કારણદર્શક નોટિસ આપ્યા વિના પણ તેનું પેન્શન રાજ્ય સરકાર બંધ કરી શકે છે. 


નિવૃતિ બાદ પણ સરકાર કરી શકે કાર્યવાહી


હાઈકોર્ટના ચુકાદા બાદ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ બાદ પડેલી સજાના કિસ્સામાં કાર્યવાહી કરવા માટે સરકારને સમય મર્યાદાના કાયદાનો બાધ નડતો નથી. આ ચુકાદાની અસર સરકારમાં કામ કરી રહેલા અને નિવૃત્ત થઈ ચૂકેલા ઘણા બધા કર્મચારીઓ અને અધિકારીઓ પર થશે.


સરકાર પર કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું ભારણ 


ગુજરાત સરકાર પર કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું ભારણ છે. દર વર્ષે તેમાં વધારો થતો જઈ રહ્યો છે. ચાલુ વર્ષે સુધારેલા અંદાજ પ્રમાણે રાજ્યના સરકારી નોકરી કરતા અને ગ્રાન્ટેડ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓના પગાર પાછળ રાજ્ય સરકાર 40 હજાર 503 કરોડ ખર્ચ કરશે. જે આગામી વર્ષ 2023-24માં વધીને 45 હજાર 91 કરોડ થશે. એટલે કે એક વર્ષમાં 5 હજાર 500 કરોડનો વધારો થવાનો છે. બીજી બાજુ 


પેન્શનરોની સંખ્યા વધીને આગામી વર્ષે 5,13,716 થશે


સરકારી ખાતામાં અને ગ્રાન્ટેડ સંસ્થામાં પેન્શનરોની સંખ્યા ચાલુ વર્ષે 4 લાખ 99  હજાર 527 હતી જે વધીને આગામી વર્ષે 5 લાખ 13 હજાર 716 થશે. આ પેન્શરનરોને ચાલુ વર્ષે ગુજરાત સરકાર 22 હજાર 708 કરોડ રૂપિયાનું પેન્શન ચૂકવશે. જ્યારે આગામી વર્ષે રાજ્ય સરકારનો પેન્શન પાછળનો ખર્ચ 24, 978 કરોડનો થશે. મહત્વની બાબત એ છે કે, સરકારી ખાતા અને ગ્રાન્ટેડ સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો નથી. પરંતુ પેશન્શનરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!