ત્રણ મહિનાનું એરિયર, 42 ટકા DA,સરકારી કર્મચારીઓના ખાતામાં આવશે આટલો પગાર


  • Published By :
  • Published Date : 2023-04-07 16:12:29

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભરતા નાણાકીય વર્ષ 2023ના છેલ્લા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને 42 ટકા કર્યો હતો. હવે સરકાર  DAની ગણતરી માટે નવી ફોર્મ્યુલા લાવવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે જુલાઈમાં DA ગણતરીની આ ફોર્મ્યુલામાં ફેરફાર કરવામાં આવી શકે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ વધારો 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે. કેન્દ્ર પછી ઘણી રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓના  DAમાં વધારો કર્યો છે.


લાખો કર્મચારીઓને થશે ફાયદો


કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને જાન્યુઆરી 2023થી એરિયર પણ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ   47.58 લાખ કર્મચારીઓ અને  69.76 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે. DAમાં આ વૃધ્ધી 7માં કેન્દ્રીય વેતન પંચની ભલામણો બાદ  કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી વાર્ષિક 12,815 કરોડ રૂપિયાનું નાણાકિય ભારણ વધશે. સરકાર દર 6 મહિને કર્મચારીઓના DAમાં વૃધ્ધી કરે છે.


પગાર કેટલો વધશે?


DAમાં ચાર ટકાના વધારા બાદ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે પણ સમજીએ. ધારો કે કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે. જો આપણે 38 ટકા જોઈએ તો DA 6,840 રૂપિયા થાય છે. બીજી તરફ, જો આપણે 42 ટકા જોઈએ તો તે 7,560 રૂપિયા થઈ જશે. એટલે કે કર્મચારીના પગારમાં 720 રૂપિયાનો વધારો થશે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!