ત્રણ મહિનાનું એરિયર, 42 ટકા DA,સરકારી કર્મચારીઓના ખાતામાં આવશે આટલો પગાર


  • Published By :
  • Published Date : 2023-04-07 16:12:29

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભરતા નાણાકીય વર્ષ 2023ના છેલ્લા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને 42 ટકા કર્યો હતો. હવે સરકાર  DAની ગણતરી માટે નવી ફોર્મ્યુલા લાવવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે જુલાઈમાં DA ગણતરીની આ ફોર્મ્યુલામાં ફેરફાર કરવામાં આવી શકે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ વધારો 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે. કેન્દ્ર પછી ઘણી રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓના  DAમાં વધારો કર્યો છે.


લાખો કર્મચારીઓને થશે ફાયદો


કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને જાન્યુઆરી 2023થી એરિયર પણ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લગભગ   47.58 લાખ કર્મચારીઓ અને  69.76 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે. DAમાં આ વૃધ્ધી 7માં કેન્દ્રીય વેતન પંચની ભલામણો બાદ  કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી વાર્ષિક 12,815 કરોડ રૂપિયાનું નાણાકિય ભારણ વધશે. સરકાર દર 6 મહિને કર્મચારીઓના DAમાં વૃધ્ધી કરે છે.


પગાર કેટલો વધશે?


DAમાં ચાર ટકાના વધારા બાદ કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે પણ સમજીએ. ધારો કે કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર 18,000 રૂપિયા છે. જો આપણે 38 ટકા જોઈએ તો DA 6,840 રૂપિયા થાય છે. બીજી તરફ, જો આપણે 42 ટકા જોઈએ તો તે 7,560 રૂપિયા થઈ જશે. એટલે કે કર્મચારીના પગારમાં 720 રૂપિયાનો વધારો થશે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.