જૈન સમાજની સમસ્યાનો ઉકેલ લાવવા સરકારનો નિર્ણય, ટાસ્ક ફોર્સની રચના કરી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:53:38

જૈન સમાજ દ્વારા પાલિતાણા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિતાણા જૈન સમાજના આસ્થાનું કેન્દ્ર છે. દેરાસર સહિતના અનેક કારણોને લઈ જૈન સમાજ આંદોલન પર ઉતરી આવ્યું હતું.  ત્યારે વધતા વિવાદને જોતા સરકારે આ મુદ્દાને લઈ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ સરકારે મેમ્બર્સની પણ જાહેરાત કરી દીધી છે. આ ફોર્સમાં રેન્જ આઈજી જિલ્લાના પોલીસ અધિક્ષક,નાયબ વન સંરક્ષકોનો સમાવેશ થાય છે ઉપરાંત આ ફોર્સની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કરશે. 


જૈન સમાજ દ્વારા કરવામાં આવી હતી આક્રોશ રેલી

થોડા સમય પહેલા અસામાજીક તત્વો દ્વારા પાલિતાણામાં તોડફોડ કરવાામાં આવી હતી. શત્રુંજય પર્વતને લઈ વિવાદ છેડાયો હતો. આ મુદ્દાને લઈ જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. અનેક શહેરોમાં જૈન સમાજનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અનેક સ્થળો પર જૈન સમાજ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સામેલ અધિકારીઓની જાહેરાત કરી 

વધતા વિવાદને કારણે રાજ્ય સરકારે ટાસ્ક ફોર્સ રચવાની જાહેરાત કરી જેમાં 8 સભ્યોનો સમાવેશ થાય છે. ટાસ્ક ફોર્સની જાહેરાત કર્યા બાદ સરકારે સભ્યોના નામની જાહેરાત પણ કરી દીધી છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ આ ફોર્સની અધ્યક્ષતા કરશે ઉપરાંત રેન્જ આઈજી જિલ્લાના પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકો અને ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સમાં જમીન દફ્તર નિરીક્ષક, પાલીતાણા ચિફ ઓફિસરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સભ્ય સચિવ તરીકે પાલીતાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને નિયુક્ત કરવામાં આવ્યા છે. 


જૈન સમાજની અનેક માગનો કર્યો છે સ્વીકાર

આ સિવાય આ મુદ્દે સરકાર દ્વારા શત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત જૈન સમાજની વધુ એક માગ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે. ઉપરાંત સમેત શિખર  માટે લેવાયેલા નિર્ણયને પરત લઈ લેવામાં આવ્યો છે. જૈન સમાજની માગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી ગઈ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.