ગાયના નામે મત માગતી સરકારને ખરેખર ગૌ માતાની કેટલી દરકાર છે? જાણો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:26:19

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગાયના નામે વોટ માંગતી રાજ્યની ભાજપ સરકાર ખરેખર ગાય માતાની દરકાર રાખે છે.? રાજ્ય સરકારે બે વર્ષ પહેલા બજેટમાં જાહેરાત કરી હતી કે ખેડૂતને એક ગાયના નિભાવ માટે માસિક ખર્ચ પેટે 900 રૂપિયા આપવામાં આવશે. અને આ યોજનામાં 50 હજાર ખેડૂતોને આવરી લેવામાં આવશે. જો કે આ યોજનાનો સંપુર્ણ અમલ થઈ શક્યો નથી.


સરકારે બજેટમાં 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી


ગાયના નામે મત મેળવનારી સરકારે ગાયના પાલકો અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે. આ યોજના માટે સરકારે બજેટમાં  50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી પરંતું તેમાંથી અડધા રૂપિયા પણ વપરાયા નથી. ગાયના પાલન માટે સરકારી સહાય મેળવવા જતા ખેડૂતો પાસે એટલા બધા ડોક્યુમેન્ટસ માંગવામાં આવે છે કે તે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય છે. અંતે આ ખેડૂતો નિરાસ થઈને સહાય મેળવવાનો વિચાર પડતો મુકે છે. જોવા જેવી બાબત તો એ છે કે રાજ્યની 45 લાખ જેટલી ગાયોમાંથી એક લાખ જેટલી દેશી ગાયોના માલિકોને જ આર્થિક સહાય આપવાની હતી તેમ છતાં પણ આ મદદ પશુપાલકોને પુરતા પ્રમાણમાં મળી શકી નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે