નેતા નહીં, મુદ્દા મોટા છે... કર્મચારીઓનું એલાન "આંદોલન નહીં સમેટાઈ"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:25:28

મુદ્દાઓ કરતા આગેવાનો મોટા નથી. એવો આડકતરો સંદેશ કર્મચારીઓએ આપ્યો, એકબાજુ આગેવાનોએ મંત્રીઓ સાથે બેસીને પત્રકાર પરિષદ કરી, કર્મચારીઓએ બહાર ગીતો ગાયા.


'આજ દિવાળી, કાલ દિવાળી...ભાજપ તારી છેલ્લી દિવાળી'

આ ગીતો ગાતા લોકો સરકારી કર્મચારીઓ છે જે છેલ્લા કેટલાય સમયથી જૂની પેન્શન સ્કીમ ગુજરાતમાં લાગુ કરવા માટે વિરોધ કરી રહ્યા છે, પણ માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં ગાંધીનગર ઘેરવામાં તો અનેક લોકો સામેલ છે.


આંદોલનોનું પાટનગર એટલે ગાંધીનગર

ગાંધીનગર હવે રાજ્યના પાટનગર સાથે આંદોલનનું કેન્દ્રબિંદુ છે, ચારેય બાજુથી અસંતુષ્ટોની ભીડ છે, દરરોજ સચિવાલય અને વિધાનસભા ઘેરાવની ધમકીઓ મળે છે, રેપીડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ છે, ક્યારેક આરોગ્ય કર્મચારીઓ, ક્યારેક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, ક્યારેક બેરોજગારો, છેલ્લા 22 દિવસથી ખેડૂતો, રિટાયર્ડ આર્મીના જવાનો બધા જ સરકારની સામે મીટ માંડીને બેઠા છે કે એમના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે


કરગરે ત્યારે જ આપવું એ સરકારની આદત છે

સરકારોને આ આદત હોય છે કે જ્યાં સુધી મોટા આંદોલનો ના થાય, પગ નીચે રેલો ના આવે ત્યાં સુધી ઉફ્ફ પણ નથી કરતા, આ વખતે પણ સરકારનું એવું જ વર્તન છે, પણ આ વખતે ઘેરો ચારેયબાજુથી છે.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.