ડીસાના પીઢ નેતા ગોવાભાઇ રબારી કોંગ્રેસને કરશે બાય બાય? સી આર પાટીલ સાથે બેઠક કરી હોવાની ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-06-07 18:39:04

આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે કમર કસી છે. ભાજપે કોંગ્રેસ અને આપના નેતાઓને પાર્ટીમાં ખેંચવાનું શરૂ કર્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિરોધ પક્ષોના પ્રભાવશાળી નેતાઓને ભાજપમાં લેવા માટે રીતસર નેતાઓનું ભરતી અભિયાન જ શરૂ કર્યું છે. જેમ  કે કોંગ્રેસના અગ્રણી નેતા ઉદય સિંહ ચૌહાણને કેસરીયો ખેસ પહેરાવવામાં ભાજપ સફળ રહ્યું છે. તે જ પ્રકારે ડીસાના એક અગ્રણી કોંગ્રેસી નેતા પર પણ ભાજપની નજર છે. પાર્ટી વર્તુળોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના પીઢ નેતા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.


ગોવાભાઈ રબારીની પાટીલ સાથે બેઠકની ચર્ચા

 

કોંગ્રેસના પીઢ નેતાઓમાં ગોવાભાઈ રબારીની ગણતરી કરવામાં આવે છે. ગોવાભાઈ રબારી છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે. ગોવાભાઈ રબારી ગમે ત્યારે કોંગ્રેસનો સાથ છોડે તેવી સંભાવના છે. ગોવાભાઈની પાટીલ સાથે ગઈ કાલે બેઠક થઇ હોવાની ભારે ચર્ચા ઉઠી છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.


ગોવાભાઈની રાજકીય સફર 


ગોવાભાઈ રબારી અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગોવાભાઈ છેલ્લે વર્ષ 2017ની ચૂંટણીમાં લડ્યા હતા જેમાં તેમને ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. તેમણે કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે.  ગોવાભાઈ રબારીએ વર્ષ 2022ની ચૂંટણીમાં  તેમના પુત્ર સંજય રબારીને વિધાન સભાની ચૂંટણીમાં મેદાને ઉતર્યો હતો. જોકે ભાજપના ઉમેદવાર પ્રવિણ માળી સામે તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.


સંજય રબારીને ટિકિટ મળતા થયો હતો વિરોધ


વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ડીસા વિધાનસભા ઉપર પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપતા કોંગ્રેસના અન્ય ટિકિટના દાવેદરોમાં ભારે નારાજગી ભભૂકી ઉઠ્યો હતો. જેને લઈને ડીસા વિધાનસભાના નારાજ કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પિનાબેન ઘાડિયા, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ અને કૈલાસબેન શાહ, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અજમલજી ઠાકોર, જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગના પૂર્વ ચેરમેન પોપટજી દેલવાડીયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી નરસિંહભાઈ દેસાઇ, દીપકભાઈ પટેલ, મુકેશભાઇ સોલંકી, ડીસા નગરપાલિકાના સભ્ય ડો.ભાવિબેન શાહ સહિત આગેવાનોએ રાજીનામું આપ્યું હતું.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!