આ બેઠક પરથી લડશે ગોપાલ ઇટાલિયા જાણો કેમ AAPએ સુરતમાં આ ઉમેદવારો ઉતાર્યા ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-09 11:24:44

 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે AAP એક બાદ એક ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી રહ્યા છે ત્યારે આજે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે, આ સિવાય AAPએ ગોપાલ ઇટાલિયા સહિત 4 ધુરંધરોને સુરતમાં ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે તો ધાર્મિક માલવિયાને ઓલપાડથી ટિકિટ ફાળવવામાં આવી છે.


AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'રાજનીતિમાં યુવાઓની ભાગીદારી જરૂરી છે. મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે.'



AAPએ અત્યાર સુધી 12 લિસ્ટ જાહેર કરી 

આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 158 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં બીજા બે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે એટલે હવે કુલ 160 ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારોની યાદીમાં ચાર એવાં દિગ્ગજ ચહેરા છે કે જેઓને AAPએ સુરતની જ 4 બેઠકો પરથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી  લડશે, મનોજ સોરઠીયા કરંજ બેઠક પરથી ચૂંટણી લડશે, અલ્પેશ કથીરિયાને વરાછાની બેઠક પરથી ટિકિટ લડશે જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.                                                                                                                                      



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.