પોલીસ કેદમાંથી છુટ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:48:03


ગોપાલ ઇટાલિયાને નવી દિલ્હી પોલીસ દ્વારા પ્રાથમિક પુછપરછ કર્યા બાદ મુક્ત કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉળ્લેખનીય છે કે, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેઓને આજે 3 કલાક લાંબી પુછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા.


 છૂટયા બાદ ગોપાલ ઇટાલિયાએ શું ક્હ્યું?     

                                             

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ ધરપકડ બાદ કહ્યું કે મને કોઈ જ નોટિસ હજુ સુધી મને મળી નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને નોટિસની ખબર પડી તેમ છતાં કાયદામાં માનનાર અમે હાજર થયા હતા.  મહિલા આયોગ સામે મારી વાત રાખવા માટે હું આવ્યો હતો.  ત્યાં પહોંચ્યા અને મારી સાથેના મારા વકીલને રોકવામાં આવ્યા.  મને રોકીને કહેવામાં આવ્યું તમારે એકલાએ જ આવવું પડશે. આમ વકીલને સાથે લઈ જવા દેવામાં આવ્યા ન હતા. વધુમાં તેમણે કહ્યું " મને ખુબ ધમકાવાયો, ડરાવાયો. તુ શું સમજે છે. તને પોલીસ સ્ટેશને મોકલી દઇશ ત્યાર બાદ પોલીસને કમિશને બોલાવી લીધા શું વાત થઈ તેમની વચ્ચે એ મને તો કઈ જ ખબર નથી આ દરમિયાન કોઈ છોકરી સતત મારો વીડિયો લઈ રહી હતી. જેમને પૂછતાં કહ્યું કે ઓફિશિયલ છે તો કહે હા..મારે આની એક કોપી જોઈએ છે.  પછી બધા લોકો મળીને મને ધમકાવવા લાગ્યા. જે મામલે મને લઈ જવામાં આવ્યો હતો રે મામલે કઈ કહેવામાં આવ્યું ન હતું. આ સમગ્ર ઘટનામાં નોટિસને લઈને મહિલા આયોગને કોઈ રસ નહતો. તેમનો રસ ફક્ત મને ધમકાવવા અને ગાળો આપવામાં હતો.

મારુ નામ ગોપાલ છે, હું કંસની ઓલાદથી ડરતો નથી    


આ ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપની વિરુદ્ધમાં ઉભો થયો છો. ભાજપ પાટીદારોથી ખુબ નફરત કરે છે. પાટીદાર યુવાઓનો પર ભાજપે ગોળીઓ ચલાવી જે બચી ગયા તેવા હજારો યુવાનોને જેલમાં ભરીને કરિયર ખરાબ કર્યું. પણ પછી ભાજપને લાગ્યું કે આ પાટીદાર યુવાન ઈટાલિયા કેમ બચી ગયો.પાટીદાર સમાજથી ભાજપ નફરત કરી રહ્યાં છે એટલી હદે કે ગુજરાતથી મને ઉપાડી અને ઓખલા મોકલી દીધો. પૂરી ભાજપ મારી પાછળ પડી છે. હું શું છું. સામાન્ય યુવાન છું. ભાજપની માનસીકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે. તે પાટીદારને નફરત કરે છે. મારુ નામ ગોપાલ છે, હું કંસની ઓલાદથી ડરતો નથી."


એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.