OPS પર ગોપાલ ઈટાલિયાનું સરકારને અલ્ટીમેટમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:48:40

જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ પોતાની રાજનીતિ કરી રહી છે. ચાલતા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીએ 15 દિવસમાં નિર્ણય લેવા સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં સરકાર આ અંગે નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અરવિંદ કેજરીવાલ કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરશે.

ભાજપ સરકારને સત્તાનો ઘમંડ-ગોપાલ ઈટાલીયા 

પ્રેસ કોન્ફરન્સ યોજી ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી તમામ વર્ગના સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, પરંતુ ૨૭ વર્ષથી સત્તામાં રહેલી ભ્રષ્ટ ભાજપ સત્તાના ઘમંડમાં સરકારી કર્મચારીઓનો અવાજ સાંભળી રહી નથી. તમામ કર્મચારીઓએ ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે અને આ લોકસેવાના બદલામાં જૂની પેન્શન યોજનાની માગણી કરી રહ્યા છે.

 

 આપે સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ

વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે મહાભ્રષ્ટ ભાજપ સરકાર આવનારા ૧૫ દિવસમાં કર્મચારીઓને લઈને કોઈ સચોટ નિર્ણય નહીં કરે, તો પંદરમાં દિવસે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારી કર્મચારીઓને લઈને એક મોટી જાહેરાત કરશે. 




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.