Congress - AAPના ગઠબંધનને લઈ Gopal Italiaએ આપી પ્રતિક્રિયા તો Mansukh Vasavaએ BJPના જીત અંગે કહી આ વાત! સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-02-23 10:45:08

ગઈકાલે રાજકીય વર્તુળમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું. સૂત્રો પાસેથી એવી માહિતી સામે આવી હતી કે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે લોકસભા ચૂંટણી માટે. સમાચાર તો ત્યાં સુધી આવ્યા કે કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે. હજી સત્તાવાર જાહેરાત નથી થઈ ત્યાં તો ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સૂત્રો પ્રમાણે એવી માહિતી સામે આવી હતી કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે સીટો પર ચૂંટણી લડી રહી છે તે છે ભરૂચ અને ભાવનગર. આ બે બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

ગઠબંધનની જાહેરાત થાય તે પહેલા જ જોવા મળી રહ્યા છે ડખા   

ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે જ્યારે ભાવનગર બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત આપ દ્વારા કરવામાં આવી છે. ગઠબંધનને લઈ હજી સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી તે પહેલા જ ઘમાસાણ શરૂ થઈ ગયું છે. મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલે આ ગઠબંધનને લઈ પ્રતિક્રિયા આપી છે. તે સિવાય મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે.

મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા  

મનસુખ વસાવાએ ગઠબંધનને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન અગાઉથીજ નક્કી હતું. બે પક્ષના એકસાથે ચૂંટણી લડવાથી કે સંમતિથી ઉમેદવારની જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફર્ક પડશે નહીં. ભરૂચ બેઠક વધુ એક વાર ભાજપાજ જીતશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગોપાલ ઈટાલિયા દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ગોપાલ ઈટાલિયાએ ચૈતર વસાવાને લઈ વાત કરી છે.            



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.