ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા, કહ્યું જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે


  • Published By :
  • Published Date : 2022-10-31 18:54:31

મોરબીમાં બનેલી દુર્ઘટના પર અનેક પાર્ટીની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તે બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર સીધો હુમલો કરતા કહ્યું કે આ ઘટના માટે ભાજપ જવાબદાર છે. ઈટાલિયાએ કહ્યું કે મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠકો ભાજપ પાસે છે, પરંતુ ભાજપને આટલો પ્રેમ આપનાર જનતાને બદલામાં મોત મળ્યું.   


ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓ થઈ રહી છે - ઈટાલિયા 

હાલ ગુજરાતમાં માત્ર મોરબીમાં બનેલી દુર્ઘટનાની જ ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના પર ચર્ચા કેમ ન થાય. અનેક લોકોએ આ ગોઝારી ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ બાળકો  આ ઘટનામાં મોતને ભેટ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી એકદમ આક્રમક બની છે. આપ ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓની ઘટના બની રહી છે, લોકો લઠ્ઠાકાંડમાં મરે છે, તક્ષશિલામાં જીવતા ભૂજાય છે. પરંતુ કોઈનું કાંઈ નથી થતું.

  

કમિટી બને છે પરંતુ પરિણામ નથી આવતું - ઈટાલિયા 

ઘટનાની તપાસ માટે સરકાર કમિટીની રચના કરે છે. તેની ઉપર ટિપ્પણી કરતા ઈટાલિયાએ કહ્યું કે આજ સુધી કઈ કમિટીએ તીર મારી લીધા? થાનગઢ હત્યાકાંડની તપાસ કરવા સમિતી બની, પાટીદાર આંદોલનમાં, ખેડૂત આંદોલનમાં પેપરલીક કાંડમાં તપાસ માટે કમિટી બની પરંતુ તેનું કોઈ પરિણામ નથી આવ્યું. 


દરેક ઘટનાનો દોષ આખરે જનતા પર નખાય છે - ગોપાલ

ગુજરાતમાં સરકારની નિષ્ફળતા, ભ્રષ્ટાચારને કારણે લોકોના જીવ જાય છે ત્યારે આવું થાય ત્યારે સવાલ ના પૂછવા, રાજકારણ ન કરવી તેવી વાતો કરવામાં આવે છે પરંતુ આવી સલાહ આપનાર લોકો જ રાજકારણ કરે છે. આ ઘટના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે. દરેક ઘટનાનો દોષ આખરે તો જનતા પર નખાય છે.   ,            




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.