સુરતમાં ગોપાલ ઈટાલિયાની ધરપકડ બાદ જામીન પર છુટકારો, જાણો મામલો શું હતો


  • Published By :
  • Published Date : 2023-04-17 21:23:14

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર સહ-પ્રભારી ગોપાલ ઈટાલિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વિવાદાસ્પદ કોમેન્ટ બદલ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરાઈ હતી. પ્રતાપ જીરાવાલા (ચોવટિયા) નામની એક વ્યક્તિએ ગોપાલ ઈટાલિયા વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે, પૂછપરછ બાદ તેમનો જામીન પર છુટકારો થયો હતો. 


ગોપાલ ઈટાલિયા સામે FIR શા સામે?


સુરતના પ્રતાપ જીરાવાલા (ચોવટિયા ) નામની એક વ્યક્તિ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન આપના તત્કાલિન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીના વિરોધમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી, જેને ધ્યાનમાં રાખી ફરિયાદ થતાં આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી હતી.


શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ?


ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજ રોજ એક જૂની એફઆરઆઈ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મને પૂછપરછ માટે બોલાવ્યો હતો, ત્યાર પછી પૂછપરછ દરમિયાન પોલીસે મારી કાયદેસરની ધરપકડ કરી હતી, ક્રાઈમ બ્રાન્ચનું એવું કહેવું છે કે ભાજપના કોઈ વ્યક્તિએ મારા વિરુદ્ધમાં થોડાક સમય અગાઉ એક ફરિયાદ આપેલી છે અને એ ફરિયાદમાં ભાજપના કાર્યકર્તાની મારા કોઈ ઉચ્ચારણ બાબતે લાગણી દુભાઈ ગઈ છે. એમનું એવું કહેવું છે કે મેં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિષે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિષે કેટલાક શબ્દો વાપર્યા છે. જે બાબતથી ભાજપના કાર્યકરની લાગણી દુભાઈ છે. એવું ભાજપના કાર્યકર્તા માને છે, એમણે એવી ફરિયાદ આપીં છે અને તે અનુસંધાને પોલીસે મારી ધરપકડ કરી છે, કેમ કે જામીનપાત્ર ગુનો છે, જેથી મને ક્રાઈમ બ્રાન્ચથી જામીન આપવામાં આવ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.