હર્ષ સંઘવી વિશે શું કહ્યું કે ગોપાલ ઈટાલિયા સામે થઈ ફરિયાદ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:46:10



ભાજપના નેતા સામે અમુક શબ્દોનો ઉપયોગ કરતા ગોપાલ ઈટાલિયા સામે સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના જ નેતા પ્રતાપભાઈ જીરાવાલાએ ગોપાલ ઈટાલિયા સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. ચૂંટણી પહેલાના નિવેદનોમાં ગોપાલ ઈટાલિયા વારંવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા સામે ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરતા તેમના સામે ફરિયાદ નોંધાઈ હતી. 


ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલે સમગ્ર મામલે શું કહ્યું?

ગોપાલ ઈટાલિયા સામે થયેલી ફરિયાદ મામલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી કાયરોની પાર્ટી છે. અમે ઈમાનદાર પાર્ટી છીએ અને દેશના ભલા માટે કામ કરીએ છીએ. હજુ તો ભાજપ ઈડી અને સીબીઆઈ પણ બોલાવશે અને અમને હેરાન કરશે. 


ફરિયાદ થતાં ગોપાલ ઈટાલિયાએ શું નિવેદન આપ્યું?

ત્યારે ગોપાલ ઈટાલિયાએ સમગ્ર બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના અદાણી પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાય છે ત્યારે કેમ કોઈના પર કાર્યવાહી નથી કરવામાં આવતી. ભારતીય જનતા પાર્ટીના નેતા ગેરકાયદેસર રીતે દારૂના ધંધા કરી રહ્યા છે. તાજેતરમાં જ બોટાદ અને અમદાવાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ મામલે ભાજપના નેતાની સંડોવણી સામે આવી હતી. ભાજપના લોકોને કંઈ કામ નથી એટલે તેવા લોકોને પકડવાની જગ્યાએ આમ આદમી પાર્ટીના નેતાને પકડવાની તૈયારી કરી રહ્યા છે. હું નશો નથી વેચતો, જે વેચે છે તે તેમને પકડો. 


જાહેર છે કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની રીતે લોકોને રીજવવા માટે જમીન પર ઉતરી ગયા છે. ચૂંટણી પહેલાની નિવેદનબાજીએ જોર પકડ્યું છે અને નેતાઓ બેફામ થયા છે. આગામી સમયમાં નિવેદનબાજી હજુ તીખી થશે ત્યારે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.   


 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.