Gopal Italiaએ Chaitar Vasava કેસને લઈ આપી અપડેટ, કહ્યું કેસ લાંબો ખેંચવાનું BJPનું ષડયંત્ર..


  • Published By :
  • Published Date : 2023-11-23 13:25:27

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘણા સમયથી ફરાર છે. પોલીસ ફરિયાદ થઈ ત્યારથી તે પોલીસ પકડની બહાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવાના પત્ની જેલમાં છે. થોડા દિવસો પહેલા તેમણે એક નિવેદન આપ્યું હતું કે તે ચૈતર વસાવાના પત્ની છે એટલે તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવા કેસની અપડેટ લેવા જ્યારે જમાવટની ટીમે આપના નેતા ગોપાલ ઈટાલિયાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જાણી જોઈને કેસને લંબાવી રહી છે. કેસ લાંબો ખેંચવાનું BJPનું ષડયંત્ર છે. ચૈતર વસાવાને ક્યારે હાજર કરવા તે અંગે પણ ગોપાલ ઈટાયિલાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 

આગોતરા જામીનને કોર્ટે ફગાવી   

થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજીને ફગાવી દીધી હતી. નર્મદાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેમને કોઈ રાહત આપી ન હતી.   ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓને ધમકાવવામાં તથા માર મારવામાં મામલે કલમ 386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


અનેક દિવસોથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે

ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ થયો છે ત્યારથી તે ફરાર છે. ધારાસભ્યના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આવ્યા છે. અનંત પટેલ તેમજ જિજ્ઞેશ મેવાણીએ ચૈતર વસાવાને સમર્થન આપવાની વાત કરી હતી. મહત્વનું છે કે 15 દિવસથી વધુનો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.