દુનિયાભરની ટેક કંપનીઓ શા માટે કરી રહી છે મોટાપાયે છટણીઓ? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-23 15:06:55

છેલ્લા કેટલાક મહિનાઓથી દુનિયાભરના અખબારોમાં છટણી...છટણીના સમાચારો જ વાંચવા મળી રહ્યા છે. વિશ્વની ટોચની ટેક  કંપનીઓના કર્મચારીઓ પર પણ છટણીનો ખતરો તોળાઈ રહ્યો છે. માઈક્રોસોફ્ટ, ગુગલ, અને મેટાએ પણ તાજેતરમાં જ તેના કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ છટણીના સમાચારો વાચીએ ત્યારે મગજમાં તે વિચાર આવે કે આવી સ્થીતી શા માટે સર્જાઈ તે અંગે પણ વિચારવા જેવું છે.  


કેટલા લોકોએ નોકરી ગુમાવી?


બ્લુમબર્ગની એક રિપોર્ટના અનુસાર ગત વર્ષે લગભગ એક લાખથઈ પણ વધુ લોકોએ તેમની નોકરી  ગુમાવી છે. અને વર્ષ 2023માં પણ આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ જગતની નોકરીઓ પર નજર રાખતી વેબસાઈટ layoffs.fyiના જણાવ્યા પ્રમાણે બે ડઝનથી પણ વધુ અમેરિકન ટેક કંપનીઓએ કહ્યું કે તે તેના કર્મચારીઓની સંખ્યામાં 10 ટકા જેટલો કે તેથી વધુની છટણી કરશે.


કોવિડ બાદ પરિસ્થિતી વધુ વણસી


દુનિયાની ટેક કંપનીઓમાં છટણી શા માટે થઈ રહી છે? જવાબમાં નિષ્ણાતોનું  કહેવું છે કે કોવિડ મહામારીના સમયમાં લોકડાઉન દરમિયાન ટેક કંપનીઓમાં મોટા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. ત્યારે પરિસ્થિતી અનુકુળ હતી. પરંતું જ્યારે લોકડાઉનની મુદત પૂરી થઈ અને માર્કેટ ખુલ્યું તો ટેક સેક્ટરની સ્થિતી વધુ ખરાબ થઈ ગઈ. લોકડાઉન દરમિયાન લાખો લોકો લોકડાઉનમાં ઘરેથી કામ કરતા હતા. આ જ કારણે કંપનીઓની ટેકનોલોજી માગ વધી રહી હતી. પરંતું લોકો ઘરેથી ઓફિસ જવા લાગ્યા ત્યારે ટેક કંપનીઓની માગ ઘટી ગઈ હતી.


આર્થિક મંદીનો ભય


ટેક કંપનીઓમાં થઈ રહેલી છટણીઓ પાછળ એક દલીલ તે પણ આપવામાં આવી રહી છે કે દુનિયાભરમાં મંદીનો માહોલ છે. કંપનીઓ તેમનો ખર્ચ ઘટાડવા પર ફોકસ કરી રહી છે. છટણી કરીને કંપનીઓ એક પ્રકારે કરકસર  કરી રહી છે. ગ્લોબલ મંદીના કારણે વૈશ્વિક સ્તરે એમેઝોન, ગુગલ, ટ્વિટર અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પણ કર્મચારીઓની હકાલપટ્ટીનો નિર્ણય કર્યો છે. ભારતમાં પણ ટેક અને એડટેક કંપનીઓએ કોસ્ટ કટિંગનો માર્ગ અપનાવ્યો છે. ભારતમાં મંદી વધુ વકરે તેવું અનુમાન છે, એક રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષની તુલનામાં આ વર્ષે આઈટી કંપનીઓએ નવી નોકરીઓ માટે 10 ટકા ઓછી જાહેરાતો આપી છે.  



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.