Odisha: ભારે વરસાદથી બચવા શ્રમિકોએ ટ્રેનની નીચે લીધો આશરો, માલગાડી અચાનક જ ટ્રેક પર સરકી, 7ના મોત


  • Published By :
  • Published Date : 2023-06-07 22:50:55

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભીષણ રેલવે દુર્ઘટનાના પાંચ દિવસ બાદ વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ઓડિશાના જાજપુર રોડ રેલવે સ્ટેશન પર બુધવારે માલગાડી નીચે આવી જતા ઓછામાં ઓછા 7 શ્રમિકોના મોત થયા છે અને બે શ્રમિક ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ વચ્ચે આ શ્રમિકો ત્યા ઉભેલી ગુડ્સ ટ્રેન (માલગાડી)ની નીચે આશરો લીધેલો હતો. આ સંજોગોમાં ઓચિંતા જ એન્જીન વગરની ગાડી પાટા પર ચાલવા લાગી હતી અને શ્રમિકોને તેની નીચેથી નિકળવાની કોઈ તક મળી ન હતી.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


રેલવેના એક પ્રવક્તાએ કહ્યું કે ઓચિંતા જ આંધી આવી હતી. કેટલાક શ્રમિકો નજીકમાં આવેલી રેલવે લાઈન પર કામ કરી રહ્યા હતા. અચાનક જ હવામાન ખરાબ થતાં ગાજવીજ અને સસવાટા મારતા પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો જેથી મજુરો આંધી અને વરસાદથી બચવા માટે માલગાડી નીચે બેસી ગયા હતા. આ માલગાડીમાં એન્જિન લાગેલું નહોતું અને તેજ પવનના કારણે ટ્રેનના ડબ્બા આગળની તરફ દોડવા લાગ્યા હતા. કમનસીબે મજુરો તેની ઝપેટમાં આવી જતા તેમના મોત નિપજ્યા હતા. 


વળતરની ઘોષણા


ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મજૂરોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના નજીકના સંબંધીઓને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પાંચ લાખ રૂપિયા ની જાહેરાત કરી છે. સીએમ  નવીન પટનાયકે અકસ્માતમાં ઘાયલ બે લોકોને યોગ્ય સારવાર આપવાના આદેશ પણ આપ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.