ગુજરાતના શ્રમિકો માટે ખુશખબર! લઘુત્તમ વેતનમાં કરાયો વધારો, શ્રમ અને રોજગાર મંત્રીએ આ અંગે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-03-20 17:39:05

હાલ ગુજરાતમાં વિધાનસભાસત્ર ચાલી રહ્યું છે. સત્રમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુતમ વેતનમાં વધારો કરવાની જાહેરાત ગૃહમાં કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. 


શ્રમિકોના વેતનમાં કરાયો વધારો    

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરતા જણાવ્યું કે કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન જે પહેલા રૂ. 9887.80 આપવામાં આવતું હતું તે વધારીને રૂ.12324 કરી દેવામાં આવી છે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન જે પહેલા રુ.9653.80 મળતું હતું જે વધારીને રૂ.11986 કરવામાં આવ્યું છે. જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન જે પહેલા રૂ. 9445.80 મળતું હતું તેને વધારી દેવામાં આવ્યું છે. જે હવે રૂ. 11,752 આપવામાં આવશે. 


ઉપરાંત કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને રૂ. 12012 આપવામાં આવશે જે પહેલા રૂ. 9653.80 આપવામાં આવતી હતી. અર્ધ કુશળ શ્રમિકોને હવેથી રૂ. 11752 આપવામાં આવશે જે પહેલા રૂ. 9445.80 આપવામાં આવતું હતું. બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન જે પહેલા 9237.80 મળતું હતું તે વધારી રૂ. 11466 કરવામાં આવ્યો છે. 


અનેક મુદ્દાઓને લઈ સરકારને પૂછાયા છે પ્રશ્ન

વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. અનેક મુદ્દાઓને લઈ સરકારને પ્રશ્નોને પૂછવામાં આવતા હોય છે. અનેક પ્રશ્નોના જવાબ સરકારે આપ્યા છે અને જવાબમાં આપેલા આંકકા ચોંકાવાનારા છે. કુપોષિત બાળકોને લઈ  પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શિક્ષિત બેરોજગાર મુદ્દે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઉપરાંત સરકારી જનરલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટરની કુલ મંજૂર કરવામાં આવી છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.                    




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!