સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, GSSSBની 4300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-03 19:26:37

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. નવા વર્ષના પહેલા જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા અલગ અલગ કેડરની કુલ 4300 જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. 4300 જેટલી જગ્યાઓ માટે આવતીકાલે બપોરથી ઓનલાઇન ફોર્મ ભરવાનો આરંભ થશે, જે 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.


22 કેડર માટે ભરતી જાહેર 


રાજ્ય સરકાર દ્વારા અગાઉ જ મોટી સંખ્યામાં ભરતી અંગે જાહેરાત કરી હતી. જો કે ત્યારથી જ ઉમેદવારો આ ભરતીની રાહ જોવામાં આવી રહી હતી. લાંબા સમયથી મોટી સંખ્યામાં સરકારી ભરતી માટે રાહ જોતા ઉમેદવારોની પ્રતીક્ષા આજે પુરી થઈ છે. ભરતી અંગે આખરે જાહેરાત કરવામાં આવી છે, રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત છે, જેમાં જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. તારીખ 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ફોર્મ ભરી શકાશે.


પરીક્ષા ફી રૂ. 500 નક્કી કરાઈ


રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટેના ફોર્મ 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેની અંદર તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. જેમાં પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.